ઉત્તર પ્રદેશના હાથરસ સદાબાદ રોડ પર સ્થિત સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ પાસે શુક્રવારે મોડી રાત્રે એક મોટો અકસ્માત થયો હતો
ઘટનાની જાણ થતાં પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ
6 મૃતકોમાંથી એક મૃતકની ઓળખ થઈ નથી
ઉત્તરાખંડમાં પણ ગંભીર અકસ્માત થતાં બે કાવડિયાઓના થયા મોત
જેમાં એક ડમ્પરે ગંગાજળ લઈને જઈ રહેલા 8 કાવડિયાઓને કચડી નાખ્યા હતા અને તેમાંથી 6ના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે આ ઘટનામાં અન્ય લોકો ઘાયલ થયા હતા અને તેઓને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.જ્યારે 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે અને તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. મૃતકો ગંગા જળ લઈને હરિદ્વારથી ગ્વાલિયર જઈ રહ્યા હતા.
उत्तर प्रदेश: हाथरस में आगरा-अलीगढ़ हाईवे पर एक ट्रक की चपेट में आने से 5 कांवडियों की मृत्यु हुई।
एक कांवडिया ने बताया, "हम ढाबे पर खाना खा रहे थे तब एक ट्रक चालक ने ट्रक चढ़ा दिया। दुर्घटना में 7-8 लोग घायल हुए हैं और 4-5 लोगों की मृत्यु हुई है। यह लोग ग्वालियर जा रहे थे।" pic.twitter.com/K1bzZnTspc
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ તમામ લોકો ગંગાજલ લઈને હરિદ્વારથી ગ્વાલિયર જઈ રહ્યા હતા અને પોલીસને આ ઘટનાની માહિતી મળતા જ અધિકારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બે લોકોને સારવાર માટે આગ્રા મોકલવામાં આવ્યા છે અને જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.બીજી તરફ ઘટનાની જાણ થતાં જ એડીજી આગ્રા ઝોન અને આઈજી અલીગઢ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે જણાવ્યું કે અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો બાંગી ખુર્દ પોલીસ સ્ટેશન, ઉટિલા જિલ્લા, ગ્વાલિયર, મધ્યપ્રદેશના રહેવાસી છે.
कांवडियों का एक जत्था हरिद्वार से ग्वालियर वापस जा रहा था। दुर्घटना में 7 कांवडियों की मृत्यु हुई है और एक की स्थिति नाजुक है। मामले में कार्रवाई की जा रही है। वाहन के बारे में जानकारी मिली है और बहुत जल्द आरोपी पकड़ा जाएगा: राजीव कृष्ण अपर पुलिस महानिदेशक, आगरा ज़ोन, हाथरस pic.twitter.com/lFKblakcuJ
પોલીસે કહ્યું છે કે આ ઘટનામાં 6લોકોના મોત થયા છે. જ્યારે અન્ય ઘાયલોની સારવાર ચાલી રહી છે. પોલીસે જણાવ્યું કે તમામ લોકો ગ્વાલિયરના રહેવાસી છે પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે એક મૃતકની ઓળખ થઈ નથી
#UPDATE उत्तर प्रदेश के हाथरस जिले में एक ट्रक की चपेट में आने से मध्य प्रदेश के ग्वालियर के कांवड़ियों को कुचलने की घटना में एक घायल की इलाज के दौरान मौत हो जाने के बाद मरने वालों की संख्या बढ़कर 6 हो गई है।
બીજી તરફ ઉત્તરાખંડના હરિદ્વાર હાઈવે પર ગુરુવારે એક દર્દનાક માર્ગ અકસ્માત થયો હતો અને આ ઘટનામાં બે કાવડિયાઓના મોત થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે બે લોકોની સ્કૂટી એકબીજા સાથે અથડાઈ હતી, જેમાં સહારનપુર અને ગાઝિયાબાદમાં રહેતા બે કાવડિયાના મોત થયા હતા. જ્યારે આ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા છે.મળતી માહિતી મુજબ, એક સ્કૂટી પર ત્રણ અને બીજી પર બે કાવડિયા સવાર હતા. પોલીસ દ્વારા ગંભીર હાલતમાં ઘાયલોને ઉચ્ચ કેન્દ્રમાં રીફર કરવામાં આવ્યા છે. બીજી બાજુ જ્યારે મૃતક કાવડિયાના સંબંધીઓને અકસ્માતની માહિતી મળતાની સાથે જ પરિવારના સભ્યો હરિદ્વાર પહોંચી ગયા હતા.