પ્રધાનમંત્રી મોદીનો બિઝનૌર પ્રવાસ રદ થઈ ગયો છે. ખરાબ હવામાનના કારણે આ પ્રવાસ રદ કરવામા આવ્યો છે. હવે તેઓ વર્ચુઅલ રીતે પ્રચાર કરશે.
ખરાબ હવામાનના કારણે પીએમ મોદીનો પ્રવાસ રદ
સવારે 10.30 કલાકે દિલ્હીથી બિઝનૌર પહોંચવાનું હતું
11.30 સુધી રાહ જોઈ પણ લીલીઝંડી ન મળી
પ્રધાનમંત્રી મોદીનો બિઝનૌર પ્રવાસ રદ થઈ ગયો છે. ખરાબ હવામાનના કારણે આ પ્રવાસ રદ કરવામા આવ્યો છે. હવે તેઓ વર્ચુઅલ રીતે પ્રચાર કરશે. સવારે 10.30 કલાકે પીએમ મોદીને હેલીકોપ્ટરથી દિલ્હીથી બિઝનૈર જવાનું હતું. પણ પશ્ચિમી યુપીમાં ભારે ધુમ્મસ હોવાના કારણે 11.30 કલાક સુધી ક્લિયરેંસ મળ્યુ નહોતું. ત્યાર બાદ આખરે આ પ્રવાસ રદ કરવાનો વારો આવ્યો હતો.
પ્રવાસ રદ થતાં વર્ચુઅલ રીતે કરશે પ્રચાર
યુપીમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ પીએમ મોદીની બિઝનૌરમાં આ પ્રથમ ફિઝીકલ રેલી હતી. પીએમ મોદીને બિઝનૌરથી મુરાદાબાદ અને અમરોહાના મતદારોને સંબોધન કરવાનું હતું. જો કે, હવે તેઓ વર્ચુઅલ રીતે આ રેલીને સંબોધન કરશે અને પોતાની વાત જનતા સામે રજૂ કરશે. આમ તો યુપીના સીએમ યોગી આદિત્યનાથ પહેલા જ બિઝનૌર પહોંચી ગયા હતાં.
કોવિડ નિયમોમાં ઢીલ મળતા આ પ્રથમ રેલી હતી
ચૂંટણી પંચ દ્વારા ઉત્તર પ્રદેશમાં ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યા બાદ અને કોવિડ નિયમોમાં ઢીલ આપ્યા બાદ પીએમ મોદી ફિજીકલ રીતે આ પહેલી જાહેર સભા હતી. અત્યાર સુધી વર્ચુઅલ રીતે તેઓ ચૌપાલને સંબોધી રહ્યા હતાં.