ઉનાળામાં પાણીનો પોકાર શરુ થઇ ગયો છે. બનાસકાંઠા બાદ ભાવનગરમાં પીવાના પાણીને લઇને ધારાસભ્ય આવ્યા જનતાની વ્હારે.. જો પાણી નહી મળે તો આંદોલનની ઉચ્ચારી ચીમકી
તળાજા કોંગ્રેસના ધારાસભ્યએ આંદોલનની ચીમકી ઉચ્ચારી
પીવાના પાણીની સમસ્યાને લઇ કનુ બારૈયાએ આપી ચીમકી
પ્રાંત કચેરી ખાતે ઉપવાસ પર બેસવાની આપી ચીમકી
ઉનાળો આવે એટલે પાણીનો પોકાર શરુ થઇ જાય. એક તરફ ચોમાસામાં નદીઓ અને ડેમ ઓવરફ્લો થતા હોવાનું સામે આવે તો બીજી તરફ ઉનાળામાં પીવાના પાણીની પારાવાર તંગી ઉદ્ભવે છે. ચોમાસામાં પાણી બેફામ વહી રહ્યું છે જો તેજ પાણીનો સ્ટોરેજ કરવામાં આવે તો ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય. જો કે તંત્રની અણઆવડતને કારણે હાલમાં મોટાભાગના ગામડાઓમાં પાણીની પારાયણ શરુ થઇ ગઇ છે. બનાસકાંઠા, ભાવનગર સહિતના અનેક જિલ્લાઓમાં પાણીને લઇને ખેડૂતો અને જનતાએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
'પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ નહી આવે તો..'
ભાવનગરના તળાજામાં પાણીની પોકાર શરુ થયો છે. ગ્રામજનોને પીવા માટે પાણી મળતુ નથી. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે.પરિણામે જનતાએ પીવાના પાણી માટે પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય કનુ બારૈયા મેદાને આવ્યા છે. જો પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ નહી લાવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. પ્રાંત કચેરી ખાતે ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી.
વાવમાં પાણીનો પોકાર
આમ ઉનાળો શરૂ થતાની સાથે પીવાના પાણી માટે વાવના ચોથાનેસડા ગામે પીવાના પાણી માટે લોકો રજડપાટ કરી રહ્યા છે. બીજી તરફ ગ્રામજનો સમયસર પુરતુ પાણી ન મળતાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું હતું કે, જો આગામી બે દિવસોમાં સમગ્ર ગામમાં પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવતો આગામી દિવસોમાં પાણી મુદ્દે સરકાર સામે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
'પાણી નહી તો વોટ નહી'
પાલનપુરના મલાણા ગામનું તળાવ ભરવાની માગ સાથે ખેડૂતો અને મહિલાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. પાલપુરમાં 50 ગામના 8 હજારથી વધી લોકોએ પગપાળા રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ સાથે જ પાણી નહીં તો વોટ નહીં. પાણી નહીં તો ચૂંટણી બહિષ્કારના સૂત્રોચ્ચાર કરી સરકારને ચિમકી પણ આપી હતી.