પ્રહલાદ જોશીએ કહ્યું કે અમે ગઈકાલે 1.94 મિલિયન ટન કોલસાની સપ્લાય કરી છે, આ ઇતિહાસમાં ઘરેલુ કોલસાનો સૌથી વધુ પુરવઠો છે.
વીજળીની કટોકટી વચ્ચે કોલસા મંત્રીનું મહત્વનું નિવેદન
હાલમાં જ 1.94 મિલિયન ટન કોલસાની સપ્લાય કરી છે
ગઈકાલે ગૃહ મંત્રીએ ઉર્જા મંત્રી અને કોલસા મંત્રી સાથે બેઠક યોજી હતી.
Yesterday we supplied 1.94 million tons, the highest ever supply of domestic coal... As far as states are concerned, this year till June we requested them to increase stock, some of them went on to say that "please do a favour, don't send coal now": Coal Minister Pralhad Joshi pic.twitter.com/axBdRzqJRV
દેશના ઘણા રાજ્યોમાં કોલસાની કટોકટીના કારણે વીજળીની સમસ્યા યથાવત છે. આ દરમિયાન કોલસા મંત્રી પ્રહલાદ જોશીનું મહત્વનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે ભારે વરસાદને કારણે કોલસાની થોડી અછત છે. આ કારણે કોલસના આંતરરાષ્ટ્રીય ભાવ અચાનક ખૂબ વધી ગયા છે. આયતી કોલસા પર આધારિત પાવર પ્લાન્ટ્સ લગભગ બંધ ધથઈ ગયા છે. અથવા 15 થી 20 દિવસો માટે ખૂબ ઓછું ઉત્પાદન કરી રહ્યાં છે. આ સાથે તેમણે કહ્યું કે, ગઈ કાલે 1.94 મિલિયન ટન કોલસાની સપ્લાય કરી છે, જે ઘરેલું કોલસાનો સૌથી વધુ પુરવઠો છે. અગાઉ કોલસાનો સ્ટોક જે 15 થી 20 દિવસનો હતો તે ઘટી ગયો હતો. પરંતુ ગઈકાલે કોલસાનો સ્ટોક વધ્યો છે. મને ખાતરી છે કે, આગામી દિવસોમાં કોલસાનો સ્ટોક વધુ વધશે , ગભરાવાની જરૂર નથી
વરસાદના કારણે કોલસાની અછત હતી
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે વરસાદને કારણે કોલસાની અછત હતી, જેના કારણે આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધારો થયો હતો. કોલસામાં 60 રૂપિયા પ્રતિ ટનથી 190 રૂપિયા પ્રતિ ટનનો વધારો જોવા મળ્યો છે.
સોમવારે કેન્દ્રીય ગૃહ મંત્રીએ ઉર્જા મંત્રી અને કોલસા મંત્રી સાથે બેઠક યોજી
આ પહેલા સોમવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે નોર્થ બ્લોકમાં ઉર્જા મંત્રી આર કે સિંહ, કોલસા મંત્રી પ્રહલાદ જોશી સાથે બંને મંત્રાલયોના ઉચ્ચ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ (NTPC) ના ઉચ્ચ અધિકારીઓની હાજરી પણ જોવા મળી હતી. કેન્દ્રીય ઉર્જા મંત્રીએ પાવર પ્લાન્ટ્સમાં કોલસાનો પુરવઠો સ્ટોક વપરાશ કરતાં વધી ગયો હોવાના એક દિવસ પછી ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી અને ઉમેર્યું હતું કે તે બળતણ સ્ટોકની સ્થિતિને ધીમે ધીમે સુધારવામાં મદદ કરશે.
કોલસા મંત્રીએ અગાઉ કોલસાની અછતના આરોપોને નકાર્યા હતા
તમને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે રાજ્યની માલિકીની કોલ ઇન્ડિયા લિમિટેડ (CIL) ને દુર્ગા પૂજાના સમયગાળા દરમિયાન વીજ ઉત્પાદકોને કોલસાનો પુરવઠો 1.55-1.6 મિલિયન ટન (MT) પ્રતિ દિવસ અને 20 ઓક્ટોબર પછી 1.7 મિલિયન ટન પ્રતિદિન વધારવા કહ્યું છે. નોંધપાત્ર બાબત એ છે કે, કોલસા મંત્રી પ્રહલાદ જોશીએ અગાઉ કોલસાની અછતને કારણે વીજળી નિષ્ફળતાના આરોપોને નકાર્યા હતા. વીજ મંત્રાલયે આગ્રહ કર્યો હતો કે આંતર-મંત્રી ઉપ-જૂથ અઠવાડિયામાં બે વખત કોલસાના ભંડારની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.