મહેસાણા: રેલવે સ્ટેશન પર ઓખા-નાથદ્વાર ટ્રેને ગત રાત્રીથી રોકાણ કરતા ટ્રેનના મુસાફરો અટવાયા હતા. મળતી માહિતી મુજબ રતલામ આગળનો બ્રીજ તૂટવાથી ટ્રેનનો રૂટ ડાયવર્ડ કરવામાં આવ્યો હતો. ગોધરા વડોદરાના મુસાફરોને અમદાવાદ સુધી રેલવે સ્ટેશન ઉતારવામાં આવશે.
જો કે બાદમા ગાડી મહેસાણાં સ્ટેશન પર પહોંચી. મુસાફરોને જણાવ્યું કે હવે ગાડી અમદાવાદ નહિ જાય. ત્યારે ગત રાત્રીથી ગાડીના તમામ મુસાફરો હાલાકીનો સામનો કરી રહ્યા છે.
રેલ્વે સ્ટેશનના અધિકારીઓ પર આરોપ લગાવ્યો કે કોઈ તેમની વાત સાંભળવા પણ તૈયાર નથી. ત્યારે ટ્રેનનો રૂટ ડાઈવર્ડ કરતા મુસાફરોમાં રોષની લાગણી જોવા મળી હતી.