આયશા માફક પતિના ત્રાસથી અન્ય એક પરિણીતા આપઘાત કરવા હોપપૂલ પહોંચી હતી. જ્યાં સ્થાનિકોની નજર પડતા મહિલાને બચાવી લીધી હતી.
આપઘાત કરવા આવેલ યુવતીને સ્થાનિકોએ બચાવી
પતિના ત્રાસથી પરિણીતા આપઘાત કરવા હોપપુલ પહોંચી
પોલીસમાં ફરિયાદ બાદ પણ કોઈ કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ
સુરતમાં આપઘાત કરવા આવેલી પરિણીતાને સ્થાનિકોએ બચાવી છે. અમદાવાદમાં આયશાના આપઘાત બાદ વધુ એક પરિણીતા પોતાનું જીવન ટૂંકાવવા જતી હતી. પરંતુ લોકોએ વધુ એક યુવતીને આયશા બનતા બચાવી લીધી છે. આયશા માફક પતિના ત્રાસથી અન્ય એક પરિણીતા આપઘાત કરવા હોપપૂલ પહોંચી હતી. જ્યાં સ્થાનિકોની નજર પડતા મહિલાને બચાવી લીધી હતી.
સુરતની યુવતી ઘરસંસારની કંકાસથી હારીને પોતાનું જીવન ટૂંકાવવા જઈ રહી હતી. ત્યારે સ્થાનિકોના કારણે તેનો જીવ બચી ગયો છે. પરિણીતાએ આક્ષેપ કર્યો કે, પોલીસ ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી. જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.