આવતીકાલથી જ રાજકોટમાં ટેસ્ટિંગ વધારાશે. શહેરના રાજમાર્ગો પર જ ટેસ્ટિંગ બૂથ ઉભા કરાશે. KKV ચોક અને રૈયા ચોક સહિતના સર્કલ ખાતે પણ લોકો ટેસ્ટિંગ કરાવી શકશે.
કોરોના સંક્રમણમાં ફરી વધારો
રાજકોટમાં ટેસ્ટિંગ વધારાશે
ફરજીયાત ટેસ્ટિંગનો મનપા દ્વારા નિર્ણય
રાજકોટમાં કોરોના વાયરસનુ સંક્રમણ ફરી વધી રહ્યું છે. જેને લઈ રાજકોટમાં ટેસ્ટિંગ બૂથ વધારવામાં આવશે. આવતીકાલથી જ રાજકોટમાં ટેસ્ટિંગ વધારાશે. શહેરના રાજમાર્ગો પર જ ટેસ્ટિંગ બૂથ ઉભા કરાશે. KKV ચોક અને રૈયા ચોક સહિતના સર્કલ ખાતે પણ લોકો ટેસ્ટિંગ કરાવી શકશે. સાથે કોરોનાના ફરજીયાત ટેસ્ટિંગ પણ કરાશે. શહેરીજનો માટે મનપા દ્વારા નિર્ણય લેવાયો.
રાજકોટ મેયરનું નિવેદન
રાજકોટમાં કોરોના સંક્રમણ મુદ્દે મેયર પ્રદીપ ડવ દ્વારા નિવેદન અપાયું છે કે, કોરોનાના વધતા કેસને લઈને તંત્ર ચિંતિત છે. ગઇકાલે આરોગ્ય વિભાગની બેઠક મળી હતી. જેમાં ગાર્ડન, પ્રાણીસંગ્રહાલય બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ગાર્ડનમાં વધુ લોકો એકત્ર થતા હોવાની વાત મેયર પ્રદીપ ડવે કહી હતી. આ સાથે બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, એરપોર્ટ ઉપર સ્ક્રીનિંગ ચાલુ છે.
રાજ્યમાં કોરોનાના કારણે શાળા-કોલેજ બંધ
રાજ્યમાં ફરી એકવાર કોરોનાએ ઉથલો માર્યો છે. રાજ્યમાં કોરોનાના વધતાના સંક્રમણને કારણે મહાનગરોમાં 31 માર્ચ સુધી રાત્રી કર્ફ્યૂ અમલમાં મુકવામાં આવ્યો છે. રાજ્યમાં 10 એપ્રિલ સુધી શાળા-કોલેજોમાં ઓનલાઇન શિક્ષણ આપવામાં આવશે. ત્યારે અમદાવાદ ફરી એકવાર ગુજરાતનું હોટસ્પોટ બની રહ્યું છે. શહેરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. આથી અમદાવાદ શહેરમાં મોલ–મલ્ટીપ્લેક્ષ શનિ-રવિ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે.