ગુજરાત સહિત અનેક દરિયાઈ પટ્ટીના રાજ્યમાં તૌકતે વાવાઝોડાની અસરના કારણે 15થી 21મે સુધીની અલગ અલગ 56 ટ્રેન રદ કરી દેવાઈ
તૌકતે વાવાઝોડાને લઈને 56 ટ્રેન રદ કરવામાં આવી
15થી 21મે સુધીની અલગ અલગ 56 ટ્રેન રદ
વારાણસી-ઓખા, હાવડા-પોરબંદર, દાદર-ભૂજ ટ્રેન રદ
તૌકતે વાવાઝોડાને લઈને 56 ટ્રેન રદ કરવામાં આવી છે. 15થી 21મે સુધીની અલગ અલગ 56 ટ્રેન રદ કરી દેવાઈ છે. જેમાં વારાણસી-ઓખા, હાવડા-પોરબંદર, દાદર-ભૂજ ટ્રેન રદ કરી દેવાઈ છે. સાથે મુંબઈ સેન્ટ્રલ-ઓખા સહિતની 56 ટ્રેન રદ કરવામાં આવી છે. ઓખા-રામેશ્વર-એર્નાકુલમની ટ્રેન અમદાવાદથી ઉપડશે.
તૌકતે વાવાઝોડાની ગુજરાત સહિત અન્ય રાજ્યમાં મોટી અસર
કર્ણાટકના ઉત્તરકન્નડમાં તૌકતે વાવાઝોડાને કારણે 71 મકાન, 76 માછીમારોની બોટ અને 271 વીજપોલને નુકસાન થયું જ્યારે જિલ્લાના એક નાગરિકનું પણ મૃત્યું થયું. તો ગોવામાં તબાહી મચાવ્યા બાદ તૌકતે વાવાઝોડુ ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે જારે કરેલી તસ્વીરમાં વાવાઝોડુ ઉત્તર તરફ આગળ વધતું હોવાનું સ્પષ્ટ દેખાયું.
ગુજરાતમાં તૌકતેની અસરના કારણે લોકોનું સ્થળાંતર
ગુજરાતના પોરબંદરના નવીબંદરથી 95 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. નિચાણવાળા વિસ્તારમાં વસતા માછીમારી કરતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.તમામ લોકોને ઉટળા ગામે સાયકલોન સેન્ટરમાં રાખવામાં આવશે. માધવપુર ઘેડ સહિતના 40 ગામોના લોકોને સ્થળઅંતર કરવાની હાલ શરૂ કરવામાં આવી છે.
ગુજરાતના ઊર્જા પ્રધાન સૌરભ પટેલે પણ જણાવ્યું કે, તૌકતે વાવાઝોડાની અસરના કારણે ગુજરાત વિદ્યુત કંપનીના 2 હજાર કર્મચારીઓને ખાસ આ કામગીરી માટે તૈનાત કરી દેવાયા છે. જો કોઈ જગ્યાએ વીજળીને લગતી સમસ્યા આવશે. તો તેની તુરંત સમાધાન કરવા માટે કર્મચારીઓ તૈયાર છે.