દાહોદમાં દારૂ પીને એસટી બસ ચલાવવા મુદ્દે હોબાળો થયો છે. અમદાવાદથી દાહોદ જતી બસમાં હોબાળો થયો છે. ડ્રાઇવર દારૂ પીને બસ ચલાવતો હોવાનો મુસાફરોએ આક્ષેપ કર્યો છે. બેફામ બસ ચલાવતા મુસાફરોએ ડ્રાઇવરને માર માર્યો છે. એસ.ટી. વિભાગને જાણ કરતા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે.
અધિકારીઓ મુસાફરો સાથે બસ ડેપોમાં લઇ ગયા હતાં. ડ્રાઇવરની ગંભીર બેદરકારી અને બેફામ બસ ચલાવતા ડ્રાઇવર સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આવી ગંભીર બેદરકારીથી મોટી જાનહાની ટળી હતી.
આ પ્રકારની સવારીએ મુસાફરોમાં અનેક પ્રશ્નો ઉઠ્યા હતાં. ડ્રાઇવીંગ કરતા પહેલા કે પછી ડ્રાઇવર નશો કરે તો કઇ રીતે ઇમરજન્સીમાં મુસાફરો પોતાની જાતને બચાવી શકે ? સલામત સવારી બસ હમારીની કહેવત ક્યારે હકીક્ત બનશે? ભગવાન ભરોસે મુસાફરી કરતા લોકોને ભરોસો ક્યારે મળશે ? તેવા પ્રશ્નો ઉઠ્યા છે.