કહેવાય છે કે મોતના કોઈ ઠેકાણા હોતા નથી. તે કોઈ પણ સમયે કોઈ પણ બહાને આવી શકે છે. રાજસ્થાનના સીકર જિલ્લામાંથી શુક્રવારે આવી જ એક ઘટના સામે આવી છે.
રાજસ્થાનમાંથી વિચિત્ર કિસ્સો સામે આવ્યો
એક ખિસકોલીના કારણે પાંચ જીવ ગયા
જોઈ લો એવો તે શું છે મામલો
કહેવાય છે કે મોતના કોઈ ઠેકાણા હોતા નથી. તે કોઈ પણ સમયે કોઈ પણ બહાને આવી શકે છે. રાજસ્થાનના સીકર જિલ્લામાંથી શુક્રવારે આવી જ એક ઘટના સામે આવી છે. અહીં ગોવટીમાં એક ખિસકોલી વિજળીના થાંભલાના સહારે તાર પર ચડી, જેના દોડવાથી થાંભલા પર વિજળીનો કરંટ દોડવા લાગ્યો. નજીકમાં જ ઢોરવાડો હતો. વિજળીના તાર પણ આ ઢોરવાડાને અડીને પસાર થતાં હતા. કરંટ ફેલાતા વાડાના માલિક સહિત ચાર બકરીઓના મોત થઈ ગયા હતા. ખાસ્સી વાર લોકોને મામલો સમજાયો નહીં કે આખરે શું થયું છે. પણ બાદમાં જ્યારે ખિસકોલી મરેલી જોય તો, આખો ઘટનાક્રમ સમજાયો.જે બાદ મૃતક રણજીત ગુર્જરને સામૂહિક સ્વાસ્થ્ય કેન્દ્ર લઈ જવામાં આવ્યો હતો. વિજળી વિભાગ વિરુદ્ધ ગામલોકોનો ભારે આક્રોશ વચ્ચે લાશનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
એક વર્ષ પહેલા જ થયા હતા લગ્ન
મૃતક રણજીત ગુર્જર ચાર બહેનો વચ્ચે એક ભાઈ હતો. લગભગ એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. મોત બાદ તેમની પત્ની અને પરિવારના લોકો રોઈ રોઈને હાલત ખરાબ થઈ ગઈ હતી. તો વળી આ દુર્ઘટનાથી આખા ગામમાં સન્નાટો ફેલાઈ ગયો હતો.
ધરણા પર બેઠા ગામ લોકો, વળતરની માગ મુકી
ઘટના બાદ પરિવારના લોકોએ વિજળી નિગમ વિરુદ્ધ જબરદસ્ત આક્રોશ જોવા મળ્યો હતો. તે પલસાના સામુહિક આરોગ્ય કેન્દ્ર બહાર ધરણા પર બેઠા હતા. વિજળી નિગમ પાસેથી વળતરની માગ સાથે નિગમે દોષિત અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી હતી. વળી અધિકારીઓએ મુખ્યમંત્રી ચિરંજીવી યોજનામાં વિમાના પાંચ લાખ રૂપિયા આપવાનું વચન આપીને મામલો શાંત કરાવ્યો હતો.