આ 3 રાશિ વાળા લોકો માટે આ ફેરફાર શુભ સાબિત થશે. 23 દિવસ સુધી ગુરૂની રાશિ ધનમાં રહી શુક્ર આ રાશિઓના જાતકને ખૂબ લાભ આપશે.
શુક્ર માર્ગી થવાથી આ લોકોને થશે લાભ
આ ત્રણ રાશિના લોકોને થશે લાભ
જાણો તમારી રાશિ છે?
ગ્રહોમાં સૌથી ચમકતો ગ્રહ અને જીવનમાં બધા જ ભૌતિક સુખ આપનાર શુક્ર 29 જાન્યુઆરીએ માર્ગી થવા જઈ રહ્યો છે. અત્યાર સુધી શુક્ર વક્ર એટલે કે ઉંધી ચાલ ચાલી રહ્યો હતો. હવે શુક્ર ધન રાશિમાં સીધી ચાલ કરશે અને તેની અસર દરેક 12 રાશિઓ પર પડશે. પરંતુ આ 3 રાશિ વાળા લોકો માટે આ ફેરફાર શુભ સાબિત થશે. 23 દિવસ સુધી ગુરૂની રાશિ ધનમાં રહી શુક્ર આ રાશિઓના જાતકને ખૂબ લાભ આપશે.
માર્ગી શુક્ર આપે છે લાભ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર ભૌતિક સુખ, વિલાસિતા, દોલત, રોમાંસ, પ્રેમ, સૌંદર્યના કારક છે. શુક્રના માર્ગી થવાથી જીવનના આ દરેક ક્ષેત્રોમાં સકારાત્મક ફળ મળે છે. શુક્ર ગ્રહ વૃષ અને તુલા રાશિનો સ્વામી છે.
મેષ
મેષ રાશિના જાતક માટે શુક્રનું માર્ગી થવું ખૂબ જ શુભ સાબિત થશે. તેમને કામમાં સફળતા મળશે. સફળતાની નવી તકો મળશે. ધન લાભ થઈ શકે છે. પ્રેમ માટે સારો સમય. પાર્ટનરની સાથે સારો સમય પસાર કરશો. વ્યાપારીઓને લાભ થઈ શકે છે.
વૃષભ
વૃષભ રાશિનો સ્વામી શુક્ર ગ્રહ છે. એટસે શુક્રના માર્ગી થવાથી આ રાશિના જાતકોને ખૂબ લાભ મળશે. યાત્રાઓ થઈ શકે છે અને તે લાભકારક પણ સાબિત થઈ શકે છે. આકસ્મિક ધન લાભ થઈ શકે છે. ઘરમાં ખુશાલી રહેશે. ખોટા મિત્રોથી બચો.
મિથુન
મિથુન રાશિના લોકો માટે માર્ગી શુક્ર ખૂબ લાભ આપશે. આ સમય માન-સન્માન અને ભૌતિક સુખ આપનારો બનશે. લગ્નની રાહ જોઈ રહેલા લોકોના લગ્ન થઈ શકે છે. ખર્ચ પર ધ્યાન આપો.