મહેસાણામાં વીજ કટોકટીની પરિસ્થિતિ ઉભી થતા ખેડૂતોએ આજે ઊંઝા ઉત્તર ગુજરાત વીજ કંપની કચેરીએ હંગામો મચાવી વિરોધ વ્યક્ત કર્યો
મહેસાણા જિલ્લામાં વીજ પુરવઠાની કટોકટી
ઊંઝાના ખેડૂતોએ વીજ કચેરીએ મચાવ્યો હંગામો
8 કલાક વીજળીના બદલે 2 કલાક જ વીજળી
ગુજરાત માં વીજ કટોકટી ઉભી થઇ હોવાની વાત ઘણાં સમય થી ચાલી રહી છે પણ,વીજ કંપનીઓ વીજ કટોકટી મુદ્દે કંઈ પણ કહેવાનો ઈન્કાર કરી રહી છે ત્યારે મહેસાણામાં વીજ કટોકટીની પરિસ્થિતિ ઉભી થતા ખેડૂતોએ આજે ઊંઝા ઉત્તર ગુજરાત વીજ કંપની કચેરીએ હંગામો મચાવી વિરોધ વ્યક્ત કર્યો હતો
8 કલાક વીજળી ના બદલે 2 કલાક જ વીજળી મળે છે
મહત્વનું છે કે ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા હાલમાં ગ્રામ્ય સ્તરે વીજ કાપ મોટા પ્રમાણ માં ચાલી રહ્યો છે અને તેના કારણે ગામડાઓમાં વીજ પુરવઠાના પગલે હાલાકી ભોગવી રહેલા ઊંઝામાં ગામડાઓના ખેડૂતો વીજ કચેરી પહોંચ્યા હતા અને વિરોધ વ્યક્ત કર્યો હતો. વીજ કંપનીએ 8 કલાક વીજ આપવાની જાહેરાત કરી છે એ સ્થિતિમાં ઊંઝામાં 5 કલાક વીજળી આપવા માં આવી રહી છે. તો બીજી તરફ ગઈકાલે માત્ર 2 કલાક જ વીજ પુરવઠો આપતા ઊંઝા વિસ્તારના ખેડૂતોએ આજે વીજ કચેરીએ રોષ વ્યક્ત કર્યો હતો.
ઊંઝા વિસ્તારના ખેડૂતોએ વીજ કચેરીએ મચાવ્યો હંગામો
છેલ્લા કેટલાક સમયથી અનિયમિત વીજ પ્રવાહ અપાતા ખેડૂતો તેમજ પશુપાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે હાલના તબક્કે મોટાભાગના ખેડૂતો મગફળીનું વાવેતર કરે છે. ગુજરાત રાજ્યમાં હાલ વીજ કટોકટી ઉભી થઇ છે. તેની સીધી અસર હાલ ખેતીમાં આપવામાં આવતા વીજ પુરવઠા ઉપર પડી રહી છે. સૌરાષ્ટ્રની સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ વીજ પુરવઠો પુરતા પ્રમાણમાં નથી મળી રહ્યો ત્યારે ઉત્તર ગુજરાતના ઉંઝામાં પણ 8 ક્લાકને બદલે 5 ક્લાક જેટલો વીજ પુરવઠો આપવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સૌરાષ્ટ્રમાં વીજકાપની સ્થિતિ શું છે?
કોલસાની અછત પછી સ્થિતિ વણસી છતાં સબ સલામતના દાવાથી તંત્રની નીતિ ઉઘાડી પડી છે. સૌરાષ્ટ્ર્રમાં વીજકાપને લઇને ઠેર ઠેર આક્રોશ જોવા મળી રહ્યો છે. મનપા અને નગરપાલિકામાં દૈનિક કેટલાક કલાક વીજકાપ તો સૌરાષ્ટ્ર્રમાં ખેતીવાડીમાં પરોક્ષ વીજકાપ લાગુ કરવાં આવતા ખેડૂતો અકળાયા છે. PGVCLના અધિકારીની બે ઘારી નીતિ સામે આવી રહી છે ખેડૂતો આરોપ કરી રહ્યા છે કે PGVCL દ્વારા ઉદ્યોગોમાં કોઇ વીજકાપ નહીં જ્યારે સિંચાઇમાં લોડ સેટિંગના નામે વીજકાપ લદાય છે.પુરતો 8 કલાક વીજ પુરવઠો ન અપાતો હોવાની ફરિયાદ ઉઠી રહી છે. અને જો 8 કલાકના વીજ પુરવઠો અપાય છે તેમાં પણ વચ્ચે કાપ મુકવામાં આવ્યા છે. ખેડૂતો ઢાળિયા પદ્વતિથી ખેતી કરતા હોવાથી પિયત કરવું મુશ્કેલ બન્યું કારણ કે પુરતી વીજળી ન મળતા સમગ્ર વાવેતરમાં પિયત નથી મળી શકતું.
ઉત્તર ગુજરાતમાં વીજકાપની સ્થિતિ શું છે?
તો આ તરફ ઉત્તર ગુજરાતમાં સિંચાઇ માટેના વીજ પુરવઠામાં પણ વીજકાપ ઝીંકી દેવાયો છે. UGVCL દ્વારા 8 કલાક પણ વીજળી ન અપાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. અડધી રાત્રે કાપ કરતો હોવાથી ખેડૂતોને ઉજાગરા કરવા પડી રહ્યાં છે લોડ સેન્ટિગ તેમજ અવનવા બહાના હેઠળ અધિકારીઑ વીજકાપ કરી રહ્યા છે. અને ઉપરથી પુરતો પુરવઠો ન આવતો હોવાનો વદાળ કરી રહ્યા છે. પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીના ખેડૂતો સહિત રહેણાંક વિસ્તારોમાં પણ વીજકાપથી લોકોને પરેશાની થઈ રહી છે.
આજે કનુભાઈ દેસાઈના હસ્તે વાપી ની સૌથી મોટી અને જૂની સમસ્યા એવા વાપી રેલવે અન્ડર પાસ નું ખાતમુર્હુત કર્યું હતું વાપી શહેરના મધ્યમાંથી રેલ્વે લાઇન પસાર થાય છે આથી રેલવે લાઇન ક્રોસ કરવા માટે લોકો જીવને જોખમમાં મૂકીને રેલવે ટ્રેક પસાર કરે છે આથી દર વર્ષે અનેક લોકો અકસ્માતમાં ભોગ બને છે અને જીવ ખોવાનો વારો આવે છે આથી આજે નાણાં મંત્રીના હસ્તે આ રેલવે અંડરપાસ નું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું જેને માર્ચ મહિના સુધીમાં પૂર્ણ કરવામાં આવશે તેવી કનુભાઇ દેસાઇએ ખાત્રી પણ આપી છે.