દિલ્હીમાં પ્રદુષણની સ્થિતિ બહું જ ગંભીર થઈ ગઈ છે. રવિવારની સવારે 10 વાગે એક્યુઆઈ (એર ક્વોલીટી ઈંડેક્સ) આ સીઝનમાં પહેલીવાર 625 સુધી પહોંચીં ગયું છે. ફ્લાટો મોડી થઈ રહી છે. તો બીજી તરફ 32 ફ્લાઈટો ડાઈવર્ટ કરવામાં આવી છે.
દિલ્હીમાં હવાની સ્થિતિ બહું ખરાબ થઈ ગઈ છે.
પ્રદુષણના કારણે આંખોમાં બળતરા જેવી ફરિયાદ ઉઠી છે
નોઈડામાં સ્કુલ 5 નવેમ્બર સુધી બંધ રહેશે
32 ફ્લાઈટો પણ ડાઈવર્ટ કરવામાં આવી
દિલ્હીમાં પ્રદુષણની સ્થિતિ બહું ગંભીર થઈ ગઈ છે. રવિવારની સવારે 10 વાગે એક્યુઆઈ(AQI) આ સિઝનમાં પહેલીવાર 625 સુધી પહોંચ્યો છે. દિલ્હીનાં ધીરપુરમાં એક્યુઆઈ 509 રહ્યું છે. ત્યારે દિલ્હી યુનિ.નાં વિસ્તારમાં 591, ચાંદની ચૌકમાં 432 અને લોધી રોડ વિસ્તારમાં 537 નો રેકોર્ડ બનાવ્યો છે. દિલ્હી નજીક આવેલા નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાજિયાબાદમાં પ્રદુષણનું સ્તર 400થી 709ની વચ્ચે રોકોર્ડ બનાવ્યો છે. જે અતિ ગંભીર કેટેગરીમાં આવે છે. હવાની ખરાબ સ્થિતિનાં કારણ લોકો આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહ્યાની ફરિયાદ પણ કરી રહ્યાં છે. દિલ્હીનાં પ્રદુષણની અસર હવાઈ સેવા પર પડી છે. ફ્લાઈટ મોડી પડી રહી છે. ત્યારે પ્રદૂષણના કારણે 32 જેટલી ફ્લાઇટ્સ પણ ડાયવર્ટ કરી દેવામાં આવી છે.
એરલાઈન્સે ટ્વીટ કરી મુસાફરોને કહ્યું ફ્લાઈટો મોડી પડશે
વિસ્તારા એરલાઈન્સે ટ્વીટ કરી કહ્યુ કે, અસ્પષ્ટ વાતાવરણને કારણે ઓછા વિઝનને કારણે દિલ્હીમાં ટેકઓફ અને લેન્ડિંગમાં મોડુ થઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે દિલ્હીમાં સોમવારે 15 નવેમ્બર સુધી વાહનોને ઓડઈવન સમયનાં આધારે ચલાવવામાં આવશે. જેથી પ્રદુષણથી થોડી રાહત મળી શકે. પ્રવાસીઓની સુવિધા માટે લગભગ 2000ની આસપાસ બસો દોડાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે પર્યાવરણ પ્રદુષણ પ્રાધિકરણ (ઈપીસીએ)એ દિલ્હી- એનસીઆરએ જન સ્વાસ્થ્ય ઈમરજન્સી જાહેરાત પણ કરી છે. આ સાથે સાથે દિલ્હીની આસપાસનાં રાજ્યોના ખેડૂતોને અનાજનાં ઠુઠા નહી સળગાવવા અપીલ કરવામાં આવી રહી છે.
નોઈડા અને ગ્રેટર નોઈડાની સ્કુલો બંધ રહેશે
પ્રદુષણના કારણે દિલ્હીની નજીક રહેલા નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદમાં ધો-12 સુધીના સરકારી અને પ્રાઈવેટ સ્કૂલોને 4 અને 5 નવેમ્બરે બંધ રહેશે. ડીએમ બ્રજેશ નારાયણ સિંહનાં જણાવ્યાં મુજબ ઉત્તર પ્રદેશ પ્રદુષણ નિયંત્રણ બોર્ડનાં મળેલાં આંકડા અનુસાર હાલ હવામાં પીએમ -10 તથા પીએમ 2.5 વધુ જોવા મળી છે. જેની સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડે તે સ્વાભાવિક છે. જેને પગલે ધો -12 સુધીનાં સરકારી તથા પ્રાઈવેડ સ્કુલોમાં 4 અને 5 નવેમ્બરે રજા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે પ્રદુષણની ખતરનાક સ્થિતિને જોતા સરકારે પહેલાથી જ 5 નવેમ્બર સુધી સ્કુલોને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત 5 નવેમ્બરે તમામ પ્રકારનાં કન્સ્ટ્રક્શન કામોને પણ રોકી દેવામાં આવ્યાં છે.