બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Due to heavy rains, the water level of Narmada dam increased, 3 thousand cusecs of water was released in the canal.

આનંદો / ભારે વરસાદને પગલે નર્મદા ડેમની જળસપાટી વધારો, 120.22 મીટરે પહોંચી, કેનાલમાં 3 હજાર ક્યૂસેક પાણી છોડાયું

Priyakant

Last Updated: 10:43 AM, 18 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ મધ્યપ્રદેશમાં સારા વરસાદના કારણે હજુ પણ જળસપાટી વધી શકે છે, નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થતાં નર્મદા કેનાલમાં  પાણી છોડાયું

  • ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળ સપાટીમાં સતત બીજા દિવસે વધારો
  • 24 કલાકમાં 42 સે.મીનો વધારો થતાં જળસપાટી 120.22 મીટરે પહોંચી
  • ઉપરવાસમાંથી પાણીની આવક થતાં નર્મદા કેનાલમાં 3 હજાર 632 ક્યૂસેક પાણી છોડાયું

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળસપાટીમાં સતત બીજા દિવસે વધારો નોંધાયો છે. સારા વરસાદને પગલે ડેમની સપાટીમાં છેલ્લા 24 કલાકમાં 42 સે.મીનો વધારો થયો છે. મહત્વનું છે કે, હાલ મધ્યપ્રદેશમાં સારા વરસાદના કારણે હજુ પણ જળસપાટી વધી શકે છે. ડેમમાં પાણીની આવક થતાં જળ સપાટી વધીને 120.22 મીટરે પહોંચી છે. આ સાથે ઉપરવાસમાંથી 35 હજાર 696 ક્યૂસેક પાણીની આવક થઈ છે. 

નર્મદા ડેમની જળ સપાટીમાં આજે ફરી વધારો

નર્મદા ડેમની જળ સપાટીમાં છેલ્લા 24 કલાકમાં 42 સે.મીનો વધારો નોંધાયો છે. ઉપરવાસમાં વરસાદને કારણે સપાટીમાં વધારો થયો છે. આ તરફ ડેમમાં પાણીની આવક થતાં જળ સપાટી વધીને 120.22 મીટરે પહોંચી છે. ઉપરવાસમાંથી 35 હજાર 696 ક્યૂસેક પાણીની આવક થયા છે.

નર્મદા કેનાલમાં 3 હજાર 632 ક્યૂસેક પાણી છોડાયું

આ તરફ ડેમની સપાટીમાં વધારો કરવા RBPHના તમામ યુનિટ બંધ છે. આ આથે CHPHનું માત્ર 1 યુનિટ અત્યારે કાર્યરત છે. જળ સપાટીમાં વધારો થતાં નર્મદા કેનાલમાં 3 હજાર 632 ક્યૂસેક પાણી છોડાયું છે. 

ગઇકાલે પણ ડેમની સપાટીમાં વધારો નોંધાયો હતો 

નર્મદા ડેમની સપાટીમાં ગઇકાલે પણ વધારો થયો હતો. કેચમેન્ટ વિસ્તારમાં સારા વરસાદને પગલે ડેમની સપાટી 4 મીટર જેટલી વધી હતી. ગઇકાલેનર્મદા ડેમની સપાટી 119.80 મીટરે પહોંચી હતી. ઉપરવાસમાંથી 44,957  ક્યૂસેક પાણીની આવક થઈ હતી. ગઇકાલે નર્મદા ડેમમાં 1198 MCM (મ્યુલીયન ક્યુબિક મીટર) લાઈવ પાણીનો જથ્થો હતો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ