બિહારમાં પૂર, વરસાદ અને પાણી ભરાવવાને લઈને સ્થિતિ ખરાબ છે. રાજ્યમાં 160થી વધારે લોકોના મૃત્યુ થયા છે. અન્ય તરફ મહામારીની સ્થિતિનો ખતરો પણ જોવા મળી રહ્યો છે. આખા પ્રદેશમાં ડેન્ગ્યૂના 775 કિસ્સા જોવા મળ્યા છે અને ફક્ત પટનામાં 520 કેસ નોંધાયા છે.
પટનામાં આવેલા પૂરના કારણે દુર્દશા બાદ ચારેતરફથી ઘેરાયેલા મુખ્યમંત્રી નીતિશ કુમારને કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાનનો સાથ મળ્યો છે. જો કે પાસવાને પટનામાં પાણી ભરાવવાને લઈને કોઈ ઉલ્લેખ કર્યો નથી, તેઓએ શનિવારે એક ટ્વિટ કરીને કહ્યું હતું કે રાજ્યના મંત્રી હોવાથી તમે સુશાસનની પરિભાષા લખી છે.
Sushil Modi is rescued
Rambilas Paswan is asked to go back
Ram kripal yadav is booed
Citizens look at their leaders during times of adversity.
The writing on wall is clear.
Deliver rather than talk about मंदिर मस्जिद @NitishKumar#BIHARfloodshttps://t.co/QuHaAQJstb
— All India Mahila Congress (@MahilaCongress) October 3, 2019
સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ
પટનામાં આવેલા પૂરને કારણે પાણીનો નિકાસ અટકી ગયો છે. નારાજ થયેલા લોકોએ શનિવારે રાજ્ય સરકારની વિરુદ્ધમાં પ્રદર્શન કર્યું છે. આ સમયે લોકોએ સ્થાનિક પ્રશાસન અને રાજ્ય સરકારે તેમને રાહત આપવાની માંગ કરી છે. પટનાના દાનાપુર વિસ્તારના લોકો માટે ગોલા રોડ ટી પોઈન્ટની પાસે ચક્કાજામ કર્યો. કેટલાક લોકોએ ટાયર સળગાવ્યા તો કેટલાકે સરકારની વિરુદ્ધ નારેબાજી કરી. વરસાદ બંધ થયા બાદ પણ કોલોની અને એપાર્ટમેન્ટમાં પૂરના પાણીને હટાવવામાં નિષ્ફળ રહી છે. સ્થાનિક પોલીસ અધિકારીઓએ પ્રદર્શનકારીઓને આ ચક્કાજામ હટાવી લેવાનો અનુરોધ કર્યો હતો.