ઉત્તર-પૂર્વમાં વરસાદના કારણે તમિલનાડુના અનેક ભાગો અને પડોશી રાજ્ય પોંડિચેરીમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ થયો હતો. તમિલનાડુમાં વરસાદના પગલે દિવાલ ધરાશાયી થતાં 15 લોકોના મોત થયા તો ચેન્નઈમાં પણ વરસાદથી એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. હવામાન વિભાગે આવનારા 2 દિવસોમાં વરસાદ હોવાનું પૂર્વાનુમાન જણાવ્યું હતું.
તમિલનાડુમાં વરસાદનો કહેર
અનેક ભાગમાં વરસાદનો પ્રકોપ
દિવાલ પડતાં 15 લોકોના મોત
શાળાઓમાં રજા જાહેર
તમિલનાડુ રાજ્યના આપદા વિભાગે પોંડિચેરીની શાળાઓમાં પણ આવતીકાલે રજા જાહેર કરી છે. ભારે વરસાદના પૂર્વાનુમાનના કારણે મદ્રાસ વિશ્વ વિદ્યાલય અને અન્ના વિશ્વ વિદ્યાલયમાં આવતી કાલે થનારી પરીક્ષાને અટકાવી દેવામાં આવી છે.
રાજ્યના ચક્રવાત ચેતવણી કેન્દ્રના નિર્દેશક એન પુવિરાસને કહ્યું કે ઉપરી વાયુ પ્રવાહના કારણે રાજ્યમાં ભારે વરસાદ થયો છે. તેઓએ કહ્યું કે આવનારા 24-48 કલાકમાં મધ્યમથી ભારે વરસાદ થવાની સંભાવના છે. પરંતુ રામનાથપુરમ, તિરુનેલવેલી, તૂતીકોરીન, વેલ્લોર, તિરુવલ્લુર, તિરુવન્નમલાઈ જિલ્લામાં આવનારા 24 કલાક ભારે વરસાદ થઈ શકે છે.
#CORRECTION Holiday declared for tomorrow in schools in Puducherry in view of heavy rainfall forecast in the area. https://t.co/JGyq4VcCJ5
અરબ સાગરમાં પ્રેશર સર્જાવવાના કારણે પવનની ગતિ વધવાની પણ સંભાવના છે. આ સાથે જ માછીમારોને પણ કેપ કોમોરિન અને લક્ષ્યદ્વીપ વિસ્તારના સમુદ્રમાં ન જવાની સૂચના આપવામાં આવી છે. આ સમયે શહેરના પોલીસ નિયામક એ કે વિશ્વનાથને ચેન્નઈની મુલાકાત લીધી અને ભારે વરસાદ બાદ ઉપાયોની સ્થિતિ જાણી. તેઓએ કહ્યું કે સ્થિતિને આધારે દરેક વિભાગોને સર્તક રહેવા જણાવવામાં આવ્યું છે.