દેશમાં કોરોના વાયરસનો ફેલાવો વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 119 લોકો આ વાયરસનો ભોગ બન્યા છે અને સરકાર દ્વારા પણ આ રોગચાળાને ડામવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે હવે મુંબઇ સ્થિત સિદ્ધિ વિનાયક મંદિર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. સિદ્ધિ વિનાયક ટ્રસ્ટે 16 માર્ચથી બંધ કરવાનો નિર્ણય લીધો છે. નવો નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી મંદિર બંધ રહેશે.
કોરોના વાયરસનો કહેર યથાવત
સિદ્ધિ વિનાયક મંદિર બંધ રાખવાનો લેવાયો નિર્ણય
મહારાષ્ટ્રમાં કોરોનાના 38 કેસ
મહારાષ્ટ્ર સરકારે કોરોના વાયરસને કારણે જાહેર સ્થળોએ ભીડ ન કરવા સૂચના આપી હતી, પરંતુ તેમ છતાં લોકો મંદિરમાં આવી રહ્યા હતા. તેથી ટ્રસ્ટ દ્વારા મંદિર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ, પૂજારી સિદ્ધિ વિનાયક મંદિરમાં માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા અને પ્રવેશ કરતા પહેલા ભક્તોના હાથ પર સેનિટાઇઝર લગાવવામાં આવ્યાં હતાં.
સાવચેતીના ભાગરૂપે મંદિર બંધ કરવાનો લેવાયો નિર્ણય
મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટના પ્રમુખ અવધેશ બાંડેકરે કહ્યું કે, "અમારી સમિતિએ આ મુદ્દે વધુ માહિતી ન આવે ત્યાં સુધી કોરોના વાયરસને કારણે સાવચેતી રૂપે મંદિર બંધ કરવાનો નિર્ણય લીધો છે."
Maharashtra: Entry of devotees into Siddhivinayak Temple in Mumbai will be closed from today evening till further notice. #Coronaviruspic.twitter.com/9EtoeBrwPX
આ અગાઉ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોરોના વાયરસ સંબંધિત પરિસ્થિતિનો તાગ લેવા એક બેઠક યોજી હતી. વિડીયો કોન્ફરન્સ દ્વારા તમામ જિલ્લા અધિકારીઓએ આ બેઠકમાં ભાગ લીધો હતો.
સરકારે લીધા કડક પગલા
અમેરિકા, યુકે અને દુબઇથી આવનારા કોરોનાથી પીડિત લોકોની સંખ્યામાં વધારો થયો છે. મુખ્યમંત્રીએ ચૂંટણી પંચને પંચાયતની ચૂંટણી મોકૂફ રાખવા નિર્દેશ આપ્યો છે. મહારાષ્ટ્રના આરોગ્યમંત્રીએ કહ્યું કે અત્યાર સુધી શાળાની પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી હતી પરંતુ હવે કોલેજમાં પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. આ સિસ્ટમ હજી પણ શહેરોમાં લાગુ હતી, પરંતુ હવે તે સમગ્ર મહારાષ્ટ્રમાં લાગુ કરવામાં આવી છે. મંત્રાલયોમાં મુલાકાતીઓનું આગમન મનાઈ કરવામાં આવ્યું છે જેથી ભીડ એકઠા ન થાય. મહારાષ્ટ્રમાં કોરોનાના 38 કેસ છે.
કોરનાના વાયરસ પીડિતોનો આંકડો વધી રહ્યો છે
દેશમાં કોરોના વાયરસનો આંકડો વધી રહ્યો છે. આ સંખ્યા વધીને 117 થઈ ગઈ છે. આમાંથી 2 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 13 લોકો સાજા થઈ ગયા છે. સોમવારે મહારાષ્ટ્રમા 4 નવા કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં કુલ પોઝિટિવ કેસ 37 થયા છે. જ્યારે ઓડિશામાં એક કેસ સામે આવ્યો છે.