મહેસાણા જિલ્લામાં પણ કોરોના મહામારીના કારણે એશિયાનું સૌથી મોટું ઊંઝા માર્કેટ યાર્ડ 14થી 21 એપ્રિલ સુધી રખાશે બંધ
મહેસાણાનું ઊંઝા માર્કેટયાર્ડ બંધ રહેશે
14 એપ્રિલથી 21 એપ્રિલ સુધી બંધ રહેશે
કોરોનાના સંક્રમણને લઈને નિર્ણય
મહેસાણાનું ઊંઝા માર્કેટયાર્ડ 14 એપ્રિલથી 21 એપ્રિલ સુધી બંધ રાખવામાં આવશે. કોરોનાના વધતા જતા સંક્રમણને લઈ આ નિર્ણય લેવાયો છે. વેપારી એસોસિએશન અને માર્કેટયાર્ડની મિટિંગમાં નિર્ણય લેવાયો છે. માર્કેટયાર્ડ સાથે આજુબાજુની ક્લિનિંગ કરતી ફેકટરીઓ પણ બંધ કરાઇ છે.
મહેસાણાના યાત્રાધામ શંખલપુર મંદિર દર્શન માટે બંધ રહેશે. 14 એપ્રિલ થી 30 એપ્રિલ સુધી મંદિર દર્શન માટે બંધ રહેશે. ચૈત્રી નવરાત્રીની ભારે ભીડ સર્જાતી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા મંદિર ટ્રસ્ટે આ નિર્ણય કર્યો છે. શંખલપુર મંદિર ટ્રસ્ટ દ્વારા લોકોને કોરોનાથી બચવા ઘરમાં રહેવા માટે અપીલ કરવામાં આવી છે.
ચૈત્રી નવરાત્રીમાં શક્તિપીઠ અંબાજી બંધ રહેશે
ચૈત્રી નવરાત્રીમાં શક્તિપીઠ અંબાજી બંધ રહેશે. આવતીકાલથી અંબાજી મંદિર દર્શનાર્થી માટે બંધ કરાયા છે. જે 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રખાશે. કોરોના સંક્રમણને ધ્યાને રાખીને નિર્ણય લેવાયો છે. અંબિકા ભોજનાલય અને વિશ્રામગૃહ પણ બંધ રહેશે. આવતીકાલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે.
ગુજરાતમાં કોરોના વાયરસની પરિસ્થિતિ મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની જનતાને સંબોધન કર્યું છે અને તેમાં તેમણે કહ્યું છે કે વિશ્વભરમાં કોરોના વાયરસના કેસ વધ્યા છે અને ગુજરાતમાં પણ વધ્યા છે. CMએ હું દાવા સાથે કહીશ કે ગુજરાત સરકારે દિવસ રાત જોયા નથી અનેક નિર્ણયો કર્યા છે. સરકાર અને તંત્ર એક વર્ષથી કોરોના વાયરસને પ્રથમ પ્રાથમિકતા આપી છે. ગુજરાત સરકારે તિજોરી ખોલીને જનતાની ચિંતા કરી છે.
લગ્નમાં 50 લોકો જ ભેગા થઈ શકશે : સીએમ રૂપાણી
ગુજરાત માં લગ્નમાં વધુમાં વધુ 50 જ લોકોને હવે ભેગા થવાની મંજૂરી આપવામાં આવશે. સીએમ રૂપાણીએ જાહેરાત કરી કે દરેક પ્રકારના જાહેર સમારંભ અને બર્થડે પાર્ટીઓ પર પ્રતિબંધ કરવામાં આવે છે. એપ્રિલ અને મે મહિનામાં બધા જ તહેરવારોની ઉજવણી પર પ્રતિબંધ રહેશે.
મફતમાં ઈંજેક્શન આપ્યા છે : વિજય રૂપાણી
ગુજરાતમાં આજે દરરોજ છ હજાર કેસ આવી રહ્યા છે ત્યારે સરકારે બધાને સારી સારવાર મળે તે માટે રેમડેસિવિર ઈંજેક્શન પર પહેલા વિચાર કર્યો છે. જાન્યુઆરીમાં 20 હજાર બજારમાં હતા તેમાંથી 10 હજાર સરકારે આપ્યા અને ફેબ્રુઆરીમાં રાજ્ય સરકારે 25 હજાર મફત ઈંજેક્શન આપ્યા છે. રાજ્ય સરકારે 3 લાખ ઈંજેક્શન આપ્યા છે.
રેમડેસિવિર પર આપ્યો જવાબ
વિજય રૂપાણીએ કહ્યું કે હું કેડિલાને અભિનંદન આપીશ જેના કારણે મોટા ભાગના લોકોને ઈંજેક્શન મળી શક્યા. લોકોને કહેવાય માંગુ છું કે ઈંજેક્શન બધાને આપવાની જરૂર નથી, એટલે સરકારે નક્કી કર્યું છે કે કોવિડના સિરિયસ દર્દીઓને પહેલા ઈંજેક્શન આપવામાં આવે. આપણે આશા રાખીએ કે કોરોના કંટ્રોલ આવે, પરંતુ જો કેસ વધે તો આપણે રિસોર્સ નક્કી કરીએ અને તેનો ઉપયોગ કરી શકીએ. સીએમ રૂપાણીએ અપીલ કરતાં કહ્યું કે ડૉક્ટરો કામ વગર પ્રીસ્ક્રિપ્શન ન લખે
બેડ અને ટેસ્ટ બંને વધ્યા
સીએમ રૂપાણીએ કહ્યું કે અમદાવાદમાં બેડની સાથે ટેસ્ટ વધારવામાં આવ્યા છે. અમદાવાદમાં એક માત્ર શહેર એવું છે કે જ્યાં જાહેર ડોમ ઊભા કરીને ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજે એક લાખ 30 હજાર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. બેડ પણ વધારવામાં આવ્યા છે, વિચારો કે આ બેડ વધાર્યા ન હોત તો લોકો જાત ક્યાં? સરકારે 15 જ દિવસમાં બેડની સંખ્યા વધારી છે અને આગામી દિવસોમાં પણ વધારવાના છે. સુરતમાં પણ ત્રણ હજાર બેડ વધારવામાં આવ્યા છે.