કોરોનાને લીધે માંનાં દુધે રંગ બદલ્યો એ ચોંકવાનારી બાબત છે. આ ઘટનાએ સાયન્ટિસ્ટ અને ડોક્ટર્સને પણ આશ્ચર્યમાં મુકી દીધા છે. જાણો શું છે આખી ઘટના.
માતા બન્યા બાદ કોરોના સંક્રમણ થયો
માતાને કોરોનાને લીધે બાળકી પણ સંક્રમિત
સંક્રમિત થયા બાદ માતાનાં દૂધનો રંગ લીલો થયો
મહિલા અને બાળકને કોરોના સંક્રમણ થયું
કોરોના વાયરસથી સંક્રમિત એક મહિલાએ દાવો કર્યો છે કે તેનાં સ્તનનું દૂધ કોવિડ-19નાં ઈન્ફેક્શન બાદ લીલા રંગનું થઈ ગયું છે. મહિલા સાથે તેનાં બાળકને પણ કોરોના સંક્રમણ થઈ ગયું છે. એક માહિતી અનુસાર 23 વર્ષિય અન્ના કોર્ટેજ હાલમાંજ માતા બની છે. જેનાં થોડા દિવસો બાદ અન્ના કોર્ટેજને કોરોના સંક્રમણ થઈ ગયું. સાથે તેનાં બાળકને પણ સંક્રમણ થઈ ગયું હતું.
દુધ હલકા લીલા રંગનું થયું
માતાને કોરોના સંક્રમણ થયા બાદ તેનુ દુધ હલકા લીલા રંગનુ થઈ ગયું હોવાનો દાવો અન્ના કોર્ટેજ કરી રહી છે. મેક્સિકોનાં મોન્ટેરેમાં રહેતી અન્નાએ જણાવ્યું કે ડિલીવરીનાં થોડા સમય બાદ તેને કોરોના સંક્રમણ થયુ હતું. તે દરમિયાન જ્યારે તેની નવજાત બાળકીને તે દૂધ પીવડાવતી હતી ત્યારે તેનાં દૂધનો રંગ હળવો લીલો જોવા મળ્યો હતો.
ડોક્ટરોએ બાળકી અને માતાની તપાસ કરી
તેણે જઈને ડોક્ટરને આ વાત જણાવી. ડોક્ટરોએ તેની અને બાળકી બંનેની કોરોના તપાસ કરી તો જાણવા મળ્યું કે અન્નાનાં દૂધને લીધે બાળકીને પણ કોરોના સંક્રમણ થઈ ગયો છે. પણ કોરોનાનાં ઇલાજ બાદ હવે અન્ના અને બાળકી સ્વસ્થ થયા છે તો દૂધનો રંગ સામાન્ય જોવા મળી રહ્યો છે.
શરીરમાં એન્ટીબોડીઝ સંક્રમણથી લડે છે
અન્નાની ડોક્ટરે જણાવ્યું કે, એ સંભવ છે કે દૂધનો રંગ બદલી શકે. પણ તેમાં ઘબરાવાની કોઈ જરુર નથી. પણ હવે અન્ના સંપૂર્ણ સ્વસ્થ છે અને તેની બાળકી માટે દૂધ પણ. ડોક્ટરે જણાવ્યું કે, જ્યારે શરીરમાં એન્ટીબોડીઝ સંક્રમણથી લડે છે તો આ પ્રકારનાં ફેરફાર સંભવતઃ થઈ જતા હોય છે. જેમાં દૂધનો રંગ પણ બદલાઈ શકે છે. પણ આ શરીરની પ્રતિરોધક ક્ષમતામાં થઈ રહેલ સકારાત્મક બદલાવને લીધે થાય છે. હાલ અન્ના અને તેની બાળકી સુરક્ષિત છે.
ડાયટેશિયન પણ આશ્ચર્યમાં
બીજી તરફ ડાયટેશિયનનું માનવુ છે કે મહિલાનાં ખાનપાનને લીધે પણ તેનાં દૂધનો રંગ બદલી શકે છે. પણ હવે અન્ના કોર્ટેજે કહ્યું કે તેણે ડોક્ટરનાં જણાવ્યા પ્રમાણેની ડાયેટનું પાલન કર્યું અને ખાન પાનમાં કોઈ બદલાવ નથી કર્યો તો ડાયટેશિયન પણ આશ્ચર્યમાં મુકાઈ હતી. જ્યારે અન્નાની માંએ લેક્ટેશન એક્સપર્ટ સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યુ કે આ એક સામાન્ય પ્રક્રિયા છે. જ્યારે માં બીમાર હોય ત્યારે તેની બાળકી પણ બીમાર બની શકે.