કોરોના વાયરસના કારણે હવે સમગ્ર વિશ્વમાં 40,614 બીમાર થઇ ચૂક્યા છે. જેમાંથી 910 લોકોના મોત નિપજ્યા છે. જેમાથી 40,171 લોકોને આ રોગનો ચેપ લાગ્યો છે. ચીનમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે મરનારની સંખ્યા વધીને 908 થઇ ગઇ છે. કોરોના વાયરસનો ડર એટલો ફેલાયો છે કે, ચીનની આર્થિક રાજધાની તથા તેનું સૌથી મોટું શહેર શાંઘાઇ ખાલી થઇ ચૂક્યું છે.
કોરોના વાયરસનો સમગ્ર વિશ્વમાં હાહાકાર
ચીનની આર્થિક રાજધાની શાંઘાઇ પડી સૂની
લોકો અન્ય રાષ્ટ્રોમાં જવાના કરી રહ્યા છે પ્રયાસ
કોરોના વાયરસના ડરથી શાંઘાઇના રસ્તાઓ ખાલી પડ્યા છે. ગલીઓ અને ચાર રસ્તાઓ પર સન્નાટો છવાયેલો છે. શોપિંગ કોપ્લેક્ક્ષ, બજાર, બંધ થઇ ચૂક્યા છે. રસ્તાઓ પર માત્ર 1-2 ગાડીઓ જ દેખાઇ રહી છે.
શાંઘાઈમાં તમામ પ્રકારની પરિવહન પર આશરે 70 ટકા જેટલો પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. ચીનમાં 23થી 26 જાન્યુઆરી સુધી લૂનર ઇનરની રજાઓ હોય છે. જો કે, ચાલુ વર્ષે કોરોના વાયરસના ફેલાવાને કારણે ચીનના લોકો ક્યાંય ફરવા ગયા નથી.
દરરોજ 12 કરોડ લોકો લોકોશન બદલવાની કરી રહ્યા છે વિનંતી
શાંઘાઇના લોકોએ સાંભળ્યું કે જલદી સરકાર કોરેન્ટાઈન (Quarantine) કરવા જઇ રહી છે. અહીંથી લાખો લોકો શહેર છોડી ગયા છે. આ સમયે ચીનમાં ભયંકર અરાજકતા છે. દરરોજ 12 કરોડથી વધુ લોકો લોકેશન બદલવાની વિનંતી કરી રહ્યા છે.
ચીનના 15 શહેરોમાં અવર-જવર પર પ્રતિબંધ
Photos of shutters down on businesses in the Laoximen area of Shanghai, 4-5pm, Monday February 10 2020 pic.twitter.com/8qpC4oiTH9
ચીનના 15 શહેરોમાં અવર-જવર પર પ્રતિબંધ છે. શાંઘાઈમાં પણ તેના પર પ્રતિબંધ છે. તેથી, જલ્દી જ લોકો દ્વારા ચીની સરકારના કોરેન્ટાઈન ઓર્ડર વિશે માહિતી મળી. શાંઘાઈમાં લાખો લોકો સલામત સ્થળોએ સ્થળાંતર થયા.
ચીનના ઓનલાઇન સર્ચ એન્જિન બાયડુએ લોકોની લોકેશનની વિનંતીને આધારે આંકડા તૈયાર કર્યા છે. આ મુજબ, શાંઘાઈમાં રહેતા મધ્યમ વર્ગના લોકો ચીનના એવા વિસ્તારોમાં સ્થળાંતર થયા છે જ્યાં કોરોનાવાયરસનો ચેપ ઓછો છે.
શાંઘાઈમાં રહેતા શ્રીમંત લોકો અમેરિકા, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, ન્યુઝીલેન્ડ અને ફિલિપાઇન્સ ગયા છે, તેઓ કોરોનાવાયરસના આતંકથી ડરી ગયા છે. કેટલાક લોકો આફ્રિકા પણ ગયા છે. પરંતુ જો આ રોગ આફ્રિકામાં ફેલાય છે, તો ત્યાં નિયંત્રણ કરવું ખૂબ મુશ્કેલ હશે.