નોવેલ કોરોના વાઈરસ ફેલાવાની ગતિ સતત વધી રહી છે. આ વાયરસ લગભગ 32 હજાર કરતાં પણ વધારે લોકો સુધી પહોંચી ગયો છે..આપને જણાવી દઈએ કે, કોરોના વાઈરસના કારણે અત્યાર સુધીમાં 638 લોકોના મોત થઈ ચૂક્યા છે. ઘણા લોકોને એવું લાગી રહ્યું છે કે, કોરોના વાઈરસનું ઉદભવ ચીનમાં થયો હોવાના કારણે ચીનથી આવેલા સામાનને સ્પર્શવાથી વાઈરલ ઈન્ફેક્શન થઈ શકે છે..શું આ ડર સાચો છે?
કોરોના વાઈરસ સંક્રમણનો ભય
વાઈરસનો વધી રહ્યો છે ફેલાવો
અફવાનું બજાર ગરમ છે
નોવેલ કોરોના વાઈરસ ફેલાવાની ગતિ સતત વધી રહી છે.આપ જ્યારે આ કાર્યક્રમ જોઈ રહ્યા હશો ત્યારે આ વાયરસ લગભગ 32 હજાર કરતાં પણ વધારે લોકો સુધી પહોંચી ગયો હશે. આપને જણાવી દઈએ કે, કોરોના વાઈલકના કારણે અત્યાર સુધીમાં 638 લોકોના મોત થઈ ચૂક્યા છે. ઘણા લોકોને એવું લાગી રહ્યું છે કે, કોરોના વાઈરસનું ઉદભવ ચીનમાં થયો હોવાના કારણે ચીનથી આવેલા સામાનને સ્પર્શવાથી વાઈરલ ઈન્ફેક્શન થઈ શકે છે.
વાઈરસના ફફડાટ બાદ ચાઈનિઝ માર્કેટમાં ગ્રાહકો ફરકતા નથી
આ માન્યતાના કારણે જ આજે ભારત સહિત અનેક બજારોમાં ચીનની ચીજવસ્તુઓના વેચાણમાં ઘટાડો નોધાઈ રહ્યો છે. બજારો ખુલ્લી છે. પરંતુ ઘરાકીના અભઆવે વેપારીઓ ખુરસી પર આરામ ફરમાવી રહ્યા છે. કોરોના વાઈરસના ફફડાટ બાદ ચાઈનિઝ માર્કેટમાં ગ્રાહકો ફરકતા નથી.બીજું કારણ એ પણ છે કે,ચાઈનાથી આવતા તમામ માલ-સામાનની આયાત બંધ થઈ ગઈ છે.
શું છે શંકાનું કારણ
ચાઈના બજારમાં દેખાઈ રહેલા આ માહોલને જોઈને આપણે થોડી વાર માટે ટ્રેડવોરની વાત ભૂલી જઈએ અને એ જાણવાનો પ્રયાસ કરીએ કે, ચીનમાં બનેલા સામાનને સ્પર્શ કરવાથી વાઈરસ ફેલાવાની શંકા કેટલી વાજબી છે? માની લો કે, કોઈ પેકિંગ બેઈજિંગના એરપોર્ટ પર રાખ્યું છે અને તેની પાસે કોરોના વાઈરસ સંક્રમિક કોઈ વ્યક્તિ છીંક ખાય છે. તે પછી તે પેકિંગ નવી દિલ્લીના એરપોર્ટ પર આવે છે.તે પેકિંગને તમે સ્પર્શ કરો છો તો શું તેમને કોરોના વાઈરસનો ચેપ લાગી જશે? તમારી આ શંકાનો એક જ વાક્યામાં જવાબ છે .કદાચ નહીં.
ચીનથી આયાત સામાનને સ્પર્શવાથી વાયરસ ફેલાતો નથી
આ રીતે સામાનને અડવાથી વાયરસ કેમ નથી ફેલાતો એ વાત સમજવા માટે પહેલા વાયરસ અંગે માહિતી મેળવવી પડશે. પહેલા તમે વાયરસ અંગે પ્રાથમિક માહિતી મેળવી લો તે પછી આપો આપ સમજાઈ જશે કે ચીનથી આયાત સામાનને સ્પર્શવાથી વાયરસ કેમ ફેલાતો નથી.
હાલના સમયમાં કોરોના વાયરસ સાથે તેનો ડર પણ એ જ ગતિએ ફેલાઈ રહ્યો છે. ભૂલ ભલેરી માહિતીના કારણે જ ડર વધુ ફેલાય છે.અને ડર નવી અફવાને ફેલાવામાં મહત્વનો ભાગ ભજવે છે.આથી ઈન્ફેક્શનથી બચવા સાથે સાથે ખોટી અને ભ્રામક માહિતીથી પણ બચવું જરૂરી છે.આ માટે એ જરૂરી છે કે કોરોના વાઈરસ વિશે તેમારી સમજ પણ નિરોગી રહે.