નિર્ણય / ગુજરાતનું આ પ્રસિદ્ધ યાત્રાધામ 20 જુલાઈથી બંધ, બજારો પણ 1 વાગ્યાથી નહીં ખૂલે

Due to corona Dakor temple closed for Devotees

ગુજરાતમાં સુરત,અમદાવાદ જેવા શહેરોમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ગુજરાતમાં આજ દિન સુધી ૧૧,૪૬૪ કોરોનાના પોઝીટીવ ઍક્ટિવ કેસ છે, આવામાં ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરને ૨૦ જુલાઈથી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. મંદિરની સાથો સાથ ડાકોરમાં બજારો પણ હવે ૧ વાગ્યે બંધ કરી દેવામાં આવશે તેવા સમાચાર મળી રહ્યાં છે. કહેવામાં આવે છે કે ડાકોરમાં કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ