સુરત શહેરમાં કોરોનાના વધતા કેસ વચ્ચે કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓને શનિ-રવિના રોજ માર્કેટ બંધ રાખવા માટે મનપા દ્વારા સૂચનો કરાયા
કોરોનાના સંક્રમણ વચ્ચે સુરત તંત્ર હરકતમાં
શનિ-રવિ માર્કેટ બંધ રાખવા મનપાએ કર્યા સૂચનો
ટેકસટાઇલ માર્કેટ, યુનિટો બંધ રાખવા ફરી સૂચન
સુરતમાં કોરનાના વધતા સંક્રમણ વચ્ચે શનિ-રવિ ટેકસટાઇલ માર્કેટ, યુનિટો બંધ રાખવા મનપાએ સૂચનો કર્યા છે. જે કે, હાલમાં કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા 200 જેટલા લોકો કોરોનાગ્રસ્ત છે. તો બીજી તરફ શહેરમાં પણ અનેક વિસ્તારોમાં કોરોનાના સંક્રમણના આંકડા વધી રહ્યા છે. આ સાથે સુરતમાં BAPSના સંતો કોરોના સંક્રમિત થયા છે. અડાજણ સ્થિત BAPS મંદિરમાં કોરોનાનો પ્રવેશ થઈ ચૂક્યો છે. એક સાથે 10 સંતો કોરોના સંક્રમિત થયા હોવાના સમાચાર છે. સંતોના સંપર્કમાં આવેલ લોકોનું ટ્રેસિંગ શરૂ કરાયું છે. ભક્તોની માહિતી મેળવી ચકાસણી કરાશે.
સુરતના અનેક વિસ્તારોમાં કોરોનાના વધતા કેસ
સુરત શહેરમાં કોરોનાનું સંક્રમદ રોજબરોજ વધી રહ્યું છે. 25થી વધુ વિસ્તારોમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. જેમાં ગોપીપુરા, ચોકબજાર, નાનપુરામાં વધુ કેસ સામે આવી રહ્યા છે. સગરામપુરા, બેગમપુરા સહિતના વિસ્તારોમાં પણ કોરોનાના કેસોનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યા છે. આ વિસ્તારોમાં વધુ સંક્રમણથી મનપાની ચિંતા વધી રહી છે.
સુરતમાં કોરોના વોરિયર્સ થયા સંક્રમિત
તો આ સાથે સુરતમાં વધુ કોરોના વોરિયર્સ સંક્રમિત થયા છે. સ્મીમેર હોસ્પિટલના 3 ડોક્ટર, નર્સિંગ સ્ટાફને કોરોના થયો છે. સ્મીમેર હોસ્પિટલના કેન્ટીનના 2 કર્મચારી પોઝિટિવ આવ્યા છે. 3 ખાનગી હોસ્પિટલના ડોક્ટર પણ કોરોના સંક્રમિત બન્યા છે. કતારગામના વિજિલન્સ ઓફિસર, 1 કર્મી પોઝિટિવ છે. 18 વિદ્યાર્થી, 5 શિક્ષક, 1 પ્રોફેસર પણ ઝપેટમાં આવી ચૂક્યા છે. તો બેંકના 4 જેટલા કર્મચારી પણ સપડાયા છે. હીરા ઉદ્યોગ સતુંએ સંકળાયેલા 15 વ્યક્તિ પોઝિટિવ નોંધાયા છે. અને ટેક્સટાઇલ ઉદ્યોગના 20 કર્મચારી સંક્રમિત થયા છે.
રેમડેસિવિર ઇન્જેક્શનનો પુરતો જથ્થો ઉપલબ્બ છે. ફૂડ અને ડ્રગ્સ વિભાગે આ અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યુ છે કે ખાનગી હોસ્પિટલમાં 13 હજારે 860 ઇન્જેક્શન ઉપલબ્ધ છે. તો કંપનીના ડેપોમાં 19 હજાર 105 ઇન્જેક્શન ઉપલબ્ધ છે. તેમજ અમદાવાદમાં 5 હજાર 478, વડોદરામાં 2 હજાર 290 ઇન્જેક્શન ઉપલબ્ધ છે. તો આ તરફ સુરતમાં એર હજાર 852, રાજકોટમાં 216 ઇન્જેક્શન અપાયા છે. તો મહેસાણામાં 414 ઇન્જેક્શન આપવામાં આવ્યા છે. કોરોનાની સારવાર માટેની દવાઓનો પુરતો સ્ટોક ઉપલબ્ધ છે.