કોરોના કાળમાં નવરાત્રીમાં મંદિર ભક્તો માટે બંધ કરી દેવાયા છે. અંબાજીથી લઈ દ્વારકા સુધીના મોટાભાગના મંદિરોએ સ્વૈચ્છિક રીતે બંધનું એલાન કરી દીધુ
આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ
કોરોનાના કારણે મંદિરો બંધ
30 એપ્રિલ સુધી ધાર્મિક સ્થળો બંધ કરાયા
આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે. ચૈત્રી નવરાત્રીમાં માતાજીની ભક્તિનો અનેરો મહિમા છે. પરંતુ આ વર્ષે કોરોના કાળમાં નવરાત્રીમાં મંદિર ભક્તો માટે બંધ કરી દેવાયા છે. અંબાજીથી લઈ દ્વારકા સુધીના તમામ નાના મોટા મંદિરોને સરકારે 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. સુરત શહેરના 2 પ્રસિદ્ધ મંદિરો ભક્તો માટે બંધ કરાયા છે. અંબિકા નિકેતન મંદિર નવરાત્રી દરમિયાન બંધ રહેશે. સુરતનું પ્રસિદ્ધ જૂના અંબાજી મંદિર પણ બંધ રહેશે.
જાણો ક્યા-ક્યા મંદિર બંધ છે?
સોમનાથ મંદીર - ગીર સોમનાથ
અંબાજી મંદીર - બનાસકાંઠા
શામળાજી મંદીર - અરવલ્લી
બહુચરાજી મંદીર - બેચરાજી
મહાકાળી મંદીર -પાવાગઢ
રણછોડરાઇ મંદીર - ડાકોર
દ્રારકાધીશ મંદીર - દ્રારકા
સ્વામીનારાયણ મંદીર - વડતાલ
અક્ષરધામ મંદીર - ગાંધીનગર
ભદ્રાકાળી મંદીર - અમદાવાદ
ઇસ્કોન મંદીર - અમદાવાદ
સ્વામિનારાયણ મંદીર - કાલુપુર
જગન્નાથ મંદીર - અમદાવાદ
માતાનો મઢ - કચ્છ
તુલશી શ્યામ મંદીર - અમરેલી
સંતરામ મંદીર - નડીયાદ
ઉમિયા ધામ - ઊંઝા
ખોડલધામ - કાગવડા
ચામુડા માતા મંદીર - ચોટીલા
હર્ષદ મંદીર - પોરબંદર
ભાલકા તીર્થ - ભાલકા
જલારામ મંદીર - વીરપુર
ગઈકાલે ગુજરાતમાં કોરોના વાયરસની પરિસ્થિતિ મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની જનતાને સંબોધન કર્યું હતું. સાથે ગુજરાતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી નવા નિર્ણયો પણ કર્યા હતા. જેમાં 14 એપ્રિલથી ગુજરાતમાં લગ્નમાં વધુમાં વધુ 50 જ લોકોને હવે ભેગા થવાની મંજૂરી આપવામાં આવશે. સીએમ રૂપાણીએ જાહેરાત કરી કે દરેક પ્રકારના જાહેર સમારંભ અને બર્થડે પાર્ટીઓ પર પ્રતિબંધ કરવામાં આવે છે. એપ્રિલ અને મે મહિનામાં બધા જ તહેરવારોની ઉજવણી પર પ્રતિબંધ રહેશે.