આયુર્વેદ મુજબ દૂધ ખૂબ જ પૌષ્ટિક આહાર માનવામાં આવે છે. દૂધમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ, પ્રોટીન, નિયાસિન, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયોડીન, મિનરલ્સ, ફેટ, એનર્જી, રાઈબોફ્લેવિનની સાથે વિટામિન એ, ડી, કે અને ઈ હોય છે. પણ જો દૂધમાં એક વસ્તુ મિક્સ કરી દેવામાં આવે તો તેના ગુણો અનેક ગણા વધી જાય છે. આયુર્વેદમાં પણ આ વસ્તુને અમૃત કહેવામાં આવી છે. ચાલો જાણીએ.
આયુર્વેદ મુજબ દૂધ ખૂબ જ પૌષ્ટિક આહાર માનવામાં આવે છે
દૂધમાં એક વસ્તુ મિક્સ કરી દેવામાં આવે તો તેના ગુણો અનેક ગણા વધી જાય છે
આયુર્વેદમાં પણ આ વસ્તુને અમૃત કહેવામાં આવી છે
ગંભીર બીમારીઓનો રામબાણ ઈલાજ
દૂધ અને સાકર ઘણી બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. દૂધમાં સાકર મિક્સ કરીને પીવામાં આવે તો સ્વાસ્થ્યને ગજબ ફાયદા મળે છે. દૂધમાં સાકર એક એન્ટાસિડ એજેન્ટ તરીકે કામ કરે છે.
સારી ઊંઘ
એક ગ્લાસ નવશેકા દૂધમાં સાકર મિક્સ કરીને રોજ રાતે સૂતા પહેલાં પીવાથી અનિદ્રા સંબંધી સમસ્યાઓ દૂર થઈ જાય છે અને મીઠી નીંદર આવે છે. આ તમારા મૂડને ફ્રેશ કરવાની સાથે મગજને પણ શાંત કરે છે. સાથે જ મૂડ સ્વિંગ્સને દૂર કરે છે.
આંખો માટે અમૃત
અત્યારે લોકો મોટાભાગનો સમય લેપટોપ, મોબાઈલ, ટીવી પર વિતાવે છે એવાાં આંખોને ભયંકર નુકસાન થઈ રહ્યું છે. તો તમારી આંખોને સ્વસ્થ રાખવી હોય તો રોજ રાતે 1 ગ્લાસ દૂધમાં સાકર મિક્સ કરીને પીવો. આનાથી આંખોને પોષણ મળશે અને હેલ્ધી રહેશે.
ડાઈજેશન
આજકાલના ખાનપાનને કારણે મોટાભાગના લોકોને અપચો, એસિડિટી, કબજિયાતની સમસ્યા થવા લાગી છે. એવામાં સાકરવાળા દૂધનું સેવન તમારું ડાઈજેશન સુધારી શકે છે અને પેટના રોગોને દૂર રાખે છે.
પુરૂષો માટે લાભકારી
આયુર્વેદ અનુસાર ગરમ દૂધમાં કેસર અને સાકર મિક્સ કરીને પીવાથી શરીરને એનર્જી મળે છે. શરીરમાં હીમોગ્લોબિનની માત્રા વધારવાની સાથે બ્લડ સર્ક્યુલેશન પણ વધે છે. જેનાથી લાંબા સમય સુધી સ્કિન યુવાન લાગે છે. ખાસ કરીને પુરૂષામાં થતી યૌન દુર્બળતા પણ દૂર થાય છે.
તણાવમાં રાહત
દૂધમાં સાકર મિક્સ કરીને રોજ પીવાથી મગજ હેલ્ધી રહે છે. આયુર્વેદ મુજબ રોજ રાતે સૂતા પહેલાં ગરમ દૂધમાં સાકર મિક્સ કરીને પીવાથી યાદશક્તિ તેજ થાય છે. માનસિક થાક અને તણાવ દૂર થાય છે. સાથે જ બ્રેન રિલેક્સ રહે છે.
શરદીથી બચવા માટે અસરકારક
શિયાળાની સીઝન ચાલી રહી છે. આવી સ્થિતિમાં જો કોઈને શરદી અને ખાંસીની ફરિયાદ થાય છે, તો એક ગ્લાસ ગરમ દૂધમાં સાકર મિક્સ કરીને પીવાથી રાહત મળે છે. તેને દિવસમાં બે વખત અથવા રાત્રે સૂતા પહેલાં પીવો.
એનિમિયામાં ફાયદાકારક
ભારતમાં એનિમિયાની સમસ્યા ખૂબ જ સામાન્ય છે. એનિમિયાને દૂર કરવામાં આ ડ્રિંક ખૂબ અસરકારક છે. હકીકતમાં, જ્યારે એનિમિયા હોય છે, ત્યારે શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટી જાય છે, તેથી આ ડ્રિંક પીવાથી લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધવામાં મદદ મળે છે. આ ઉપરાંત, તે લોહીના પરિભ્રમણની પ્રક્રિયામાં પણ સુધારે છે.