જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરિ ઢુકડો એ પરંપરામાં માનનારા સંત શિરોમણી જલારામ બાપાનું મંદિર હવે દુબઇમાં બનશે. દુબઇમાં વસતા ભારતીયોને અને ખાસ કરીને ગુજરાતીઓને હવે ટૂંક સમયમાં જલારામ બાપાના દર્શન દુબઇમાં કરવાનો લાભ મળશે.
દુબઇમાં સંત શિરોમણી જલારામ બાપાનું મંદિર બનશે
દુબઇ સરકારે મંદિર બનાવવા આપી મંજૂરી
જલારામ બાપાનું ભવ્ય મંદિર દુબઇમાં બનશે
ઉલ્લેખનીય છે કે, દુબઇમાં જલારામ બાપાનું મંદિર બનવા જઇ રહ્યું છે. આ અંગે દુબઇ સરકાર પણ મંદિર બનાવવા મંજૂરી આપી દીધી છે.કોઇપણ જાતના ફંડ ફાળા વિના આ મંદિરનું નિર્માણ કરવામાં આવશે.
દુબઇમાં બનશે જલારામ બાપાનું મંદિર
દેશ-વિદેશમાં વસતા રઘુવંશી સમાજ તથા જલારામ બાપાના ભક્તો માટે દુબઈમાં એક મંદિર બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો અને આ માટેની જરૂરી પરવાનગી દુબઈ સરકાર પાસેથી માગવામાં આવતા તેમને હવે મંજૂરી પણ મળી ગઈ છે. આ મંદિર બનતા દુબઇમાં વસતા આપણાં ભારતીયો તથા અહીંથી દુબઇ જતાં જલારામ બાપાના ભક્તોને ટૂંક સમયમાં જ જલારામ બાપાના દર્શન દુબઇમાં કરવાની લાભ મળશે.
'બાપા'ના હુલામણા નામથી બન્યા જાણીતા
"બાપા" ના હુલામણાં નામથી જાણીતા બનેલ જલારામનું રાજકોટ નજીક વીરપુર ખાતે ભવ્ય સ્મારક અને અન્નક્ષેત્ર આવેલ છે જ્યાં રોજે-રોજ હજારોની સંખ્યામાં ભાવિકો અને સાધુ-સંતો ઉમટી પડે છે. આ જગ્યામાં જલારામ બાપાએ પોતાનું સમગ્ર જીવન પસાર કર્યુ હતુ. આજે મંદિરના ટ્રસ્ટ દ્વારા દરેક ભાવિકોમાંટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે.
આ સ્થળ પર જલારામ ભગત સાથે જોડાયેલી કેટલીય ચીજ-વસ્તુઓ ભાવિકોના દર્શનાર્થે મુકવામાં આવી છે. આ સ્મારકમાં જલા ભગતની હાથમાં લાકડી અને માંથે પાઘડી વાળી એક પ્રતિમા મુકવામાં આવી છે જેના દર્શન કરી ભાવિકો અનોખી અનુભુતિ કરે છે.
વિદેશમાં પણ જલારામ ભગતના મંદિર
આ જગ્યાએ કોઇપણ પ્રકારની ભેટ-સોગાદ કે દાન-દક્ષીણા સ્વીકારવામાં આવતી નથી. તેમ છતાં અન્નક્ષેત્રની પ્રવૃત્તિ અવિરત ચાલી આવે છે. રાજકોટથી વીરપુરનું અંતર આશરે 60 કિલોમીટર જેટલું છે. જલારામ ભગતના ભારત બહાર પણ મંદિરો આવેલા છે જેમાં પૂર્વ આફ્રિકા યુનાઇટેડ કિંગડમ સંયુક્ત રાજ્ય અમેરિકા અને ન્યુઝિલેન્ડ મુખ્ય છે.