જુનાગઢનાં કેશોદમાં વ્યાજખોરોનાં ત્રાસથી એક યુવાને આપઘાત કરી લેતા ચકચારી મચી જવા પામી હતી. ત્યારે યુવકનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. પોલીસે યુવક પાસેથી મળી આવેલ સ્યુસાઈટ નોટનાં આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જુનાગઢના કેશોદમાં વ્યાજના વિષચક્રએ વધુ એકનો લીધો ભોગ
કેશોદમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાને કર્યો આપઘાત
વિનોદ રોચીરામણી નામના યુવકનું સારવાર દરમિયાન થયું મોત
રાજ્યમાં વ્યાજખોરો દ્વારા અવાર નવાર લોકોને પૈસા માટે હેરાન પરેશાન કરવામાં આવતા હોય છે. ત્યારે ઘણા બનાવોમાં વ્યાજખોરોનાં ત્રાસથી લોકો ઝેરી દવા ગટગટાવતા હોય છે. ત્યારે કેશોદમાં વ્યાજખોરના ત્રાસથી એક યુવકે આપઘાતનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવતા સારવાર દરમ્યાન યુવકનું મોત નિપજવા પામ્યું હતુ.
યુવક પાસેથી સ્યુસાઈટ નોટ મળી આવી
જુનાગઢનાં કેશોદમાં વ્યાજના વિષચક્રએ વધુ એકનો ભોગ લેતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે કેશોદમાં વ્યાજખોરોનાં ત્રાસથી યુવાને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે પ્રજાપતિ સોસાયટીમાં રહેતા યુવકે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. વિનોદ રોચીરામણી નામનાં યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન યુવકનું મોત નિપજ્યું હતું. ત્યારે યુવક પાસેથી સ્યુસાઈટ નોટ મળી આવી છે. ત્યારે હવે પોલીસ સ્યુસાઈટ નોટનાં આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. યુવકનું મોત નિપજતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.