દેવિંદરસિંહની અત્યારે આતંકવાદીઓને મદદ કરવાનાં આરોપ અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે. આ કેસની તપાસમાં સામે આવું છે કે DSP દેવિંદરસિંહ આતંકવાદીઓનાં સંપર્કમાં હતો. જાણે આતંકવાદીઓને જમ્મુ લઈ જવા માટે કેટલા રુપિયા લીધા હતાં.
DSP દેવિંદરસિંહ આતંકવાદીઓના સંપર્કમાં હતો
જમ્મૂ કાશ્મીર પોલીસ દેવિંદરસિંહ પર નજર રાખી રહી હતી
દેવિંદરસિંહની તમામ હરકતો પર પોલીસની નજર હતી
સબુતો અને પુરાવાનાં આધારે તપાસ આદરાવામાં આવી
દવેન્દરની ગત અઠવાડિયે દક્ષિણ કાશ્મીરમાં બે હિજબુલ મુજાહિદ્દીનનાં આતંકવાદીઓ નવીદ બાબુ અને આતિફની સાથે ધરપકડ કરવામાં આવી હતી. એ બાદ દેવેન્દરના ઘરનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. દેવિંદરે પોલીસને એક નિવેદન આપ્યું હતું કે તે આતંકવાદીઓનાં એક ખાનગી ઓપરેશનમાં ભાગીદાર હતો. જોરે કોઈ ખાનગી એજન્સીનાં દેવિંદરનાં આ દાવાને સમર્થન આપ્યું નથી. આઈબી, રૉ અને મિલિટ્રી ઈન્ટેલિજેન્સ (એમઆઈ) દેવિંદરની સઘન પુછપરછ કરી ચુકી છે. એનઆઈએના જણાવ્યાનું સાર તપાસમાં મળેલા સબુતો અને પુરાવાનાં આધારે તપાસ કરીશું.
દેવિંદરે લીધા હતા આટલા પૈસા
DSP દેવિંદરસિંહ આતંકવાદીઓના સંપર્કમાં હતો. જમ્મૂ કાશ્મીર પોલીસનો દાવો છે કે દેવિંદરસિંહ પર તેઓ નજર રાખી રહી રહ્યાં હતા. પોલીસનું કહેવું છે કે તેઓ દેવિંદરસિંહની તમામ હરકતો પર નજર રાખી રહ્યાં હતાં. તપાસમાં બહાર આવ્યું છે કે દેવિંદરસિંહની સંપત્તિ પણ આવક કરતા વધુ હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ સાથે દેવિંદરસિંહનાં ડ્રગ માફિયાઓ સાથે સંબંધો હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન દેવિંદરસિંહના ઘરમાંથી હથિયારો મળી આવ્યા હતાં. જેમાં ગ્રેનેડ અને AK-47 જેવા હથિયારો મળી આવ્યા છે. દેવિંદરે આતંકીને જમ્મૂ લઈ જવા દેવિંદરસિંહે રૂ.10 લાખ લીધા હતા.
શિવસેનાએ પોલીસની તપાસ પર સવાલ ઉઠાવ્યાં છે
આતંકવાદીઓ સાથે પકડાયેલા દેવિંદરની ધરપકડ પછી શિવસેનાએ કાશ્મીર પોલીસની ભૂમિકાને લઈને સામનામાં સવાલ ઉઠાવ્યાં છે. જેમાં તેમણે એમ પણ લખ્યું છે કે કેટલાંક લોકો પુલવામાં આતંકી હુમલા પર શંકા વ્યક્ત કરે છે તો કેન્દ્રીય ગુહ વિભાગે તેનો જવાબ આપવો જોઈએ.