કાશ્મીરમાં આતંકીઓની સાથે પકડાયેલા સસ્પેન્ડેડ ડીએસપી દવિન્દર સિંહ (DavinderSingh)ને 15 દિવસ માટે એનઆઇએ (NIA) ની રિમાન્ડમાં મોકલી દેવાયા છે. દવિન્દર સિંહ સિવાય હિજબુલ મુજાહિદ્દીનના ત્રણ આતંકીઓને પણ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. આ પહેલા મામલામાં ધરપકડ કરવામાં આવેલા ત્રણેય આરોપીઓને ગુરુવારે જમ્મૂની એનઆઇએ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા.
દવિન્દર સિંહને પૂછપરછ માટે દિલ્હી લાવશે NIA
મામલાની તપાસ માટે NIA ટીમ શ્રીનગરમાં હાજર
ત્રણેય આરોપીઓને જમ્મૂની એનઆઇએ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા
સસ્પેન્ડેડ ડીએસપી દવિન્દર સિંહને ગુરુવારે કુલગામથી જમ્મૂ લાવવામાં આવ્યા, જ્યાં તેઓને એનઆઇએ કોર્ટમાં રજૂ કરાયા. રિમાન્ડ પર લીધા બાદ દવિન્દર સિંહ અને અન્ય ત્રણ આતંકીઓની એનઆઇએ (NIA) પૂછપરછ કરશે. પૂછપરછ કર્યા બાદ એનઆઇએ દવિન્દર સિંહને દિલ્હી લઇને જશે. આ પહેલા દવિન્દર સિંહ સાથે જોડાયેલા ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમા શંકાસ્પદ સામાન જપ્ત કરાયો હતો.
નોંધનીય છે કે, દવિન્દર સિંહ સાથે જોડાયેલો મામલો સુરક્ષાની દ્રષ્ટીએ ઘણો સંવેદનશીલ છે, તેથી મામલા પરથી પડદો ઉઠાવવા માટે તપાસની જવાબદારી એનઆઇએને સોંપવામાં આવી છે. એનઆઇએ તપાસનો આદેશ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આપ્યો છે, જે બાદ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. દવિન્દર સિંહનો સંબંધ શું પાકિસ્તાનીઓ સાથે છે, એનઆઇએ આ દ્રષ્ટિકોણથી પણ પોતાની માંગ આગળ વધારી રહી છે.
દવિન્દર સિંહની પૂછપરછ માટે એનઆઇએ અધિકારીઓની એક ટીમ શ્રીનગર ગઇ છે. આ ટીમમાં ઇન્સ્પેક્ટર જનરલ રેન્કના અધિકારી સામેલ છે. આ ટીમે જમ્મૂ અને શ્રીનગરનો પ્રવાસ કરી ઘણી જાણકારીઓ એકત્રિત કરી છે.
કોણ છે આતંકીઓ સાથે પકડાયેલા દવિન્દર સિંહ
જમ્મૂ કાશ્મીરના સસ્પેન્ડેડ ડીએસપી દવિન્દર સિંહ (DSP Davinder Singh) ને 2018માં આતંકીઓની વિરુદ્ધ કાર્યવાહી કરવા બદલ 'શૅર-એ-કાશ્મીર' ચંદ્રક આપવામાં આવ્યો હતો. જેને જમ્મૂ કાશ્મીર સરકારે આદેશ જાહેર કરી પાછો લઇ લીધો છે. જમ્મૂ કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલના રહેવાસી દવિન્દર સિંહની ઉમંર 57 વર્ષ છે. તેમના પરિવારમાં પત્ની, બે પુત્રીઓ અને એક પુત્ર છે. દવિન્દરે 14 વર્ષ સુધી એસઓજી (SOG) માં કામ કર્યું અને આ દરમિયાન તેઓએ ઘણા ઓપરેશન્સમાં ભાગ લીધો.
1997માં તેઓેને પ્રમોશન આપી સબ-ઇન્સ્પેક્ટર બનાવી દેવાયા. પોલીસમાં જોડાયા બાદથી જ દવિન્દર પર ઘણી વાર ગેરકાનૂની કામ કરવાના આરોપ લાગતા રહ્યા છે. 2001ના સંસદ હુમલાના માસ્ટરમાઇન્ડ અફઝલ ગુરુએ પોતાના વકીલને લખેલા એક પત્રમાં કહ્યું હતું કે, દવિન્દરના કહેવા પર જ તેણે મોહમ્મદ નામના વ્યક્તિને દિલ્હી પહોંચાડ્યો અને તેના રહેવાની વ્યવસ્થા પણ કરી. બાદમાં જાણવા મળ્યું કે, મોહમ્મદ પણ સંસદ હુમલામાં સામેલ આતંકવાદીઓમાંથી એક હતો.