સુરતની સુકાયેલી તાપી નદીમાં સરકાર સી-પ્લેન ઉડાવશે. તાપી રિવરફ્રન્ટથી સરદાર સરોવર વચ્ચે સી-પ્લેન ઉડાવવામાં આવશે. તાપી નદીમાં જળકુંભીનો ઉપદ્વવ છતાં સરકાર સી-પ્લેન ઉડાવવા જઇ રહ્યા છે.
આ અંગે માળતી માહિતી અનુસાર 20 જૂને એરપોર્ટ ઓથોરિટીની ટીમ સુરતની મુલાકાતે આવશે. DGC અને સ્પાઈસ જેટની ટીમ તાપી નદીની મુલાકાત કરશે 30 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેદ્ર મોદી સી-પ્લેનમાં તાપી આવી શકે છે.
ઉલ્લેખની છે કે સરકાર સુકાયેલી તાપી નદીમાં સી-પ્લે ઉડાવશે તો અહી તંત્ર સામે અનેક સવાલો ઉભા થાય છે. તાપી નદીમાં પાણી નથી તો સી-પ્લેન માટે કયાંથી આવશે પાણી? સુકાયેલી નદીમાં સરકાર કેવી રીતે ઉડાવશે સી-પ્લેન? તાપી નદીમાં જળકુંભીનો ઉપદ્રવ છતાં સરકાર ઉડાવશે સી-પ્લેન ઉનાળુ પાક માટે પાણી નહોતુ સી-પ્લેન માટે ક્યાંથી આવશે પાણી? પાણી વગર પાક સુકાઈ છે તો સી-પ્લેન માટે આવશે પાણી?
એક બાજુ ખેડૂતો સિંચાઈ પાણી માટે રજૂઆત કરે છતાં પાણી ન મળે. ખેડૂતોને કેમ પાણી નથી મળતુ? નદીઓના પાણીના સ્તર ઘટે છે તો સી-પ્લેન નદીઓમાં કેવી રીતે ઉડશે? સરકાર સી-પ્લેનના તાયફા કરે છે તો ખેડૂતોની ચિંતા કેમ નથી કરતી?