સરગવાનો આયુર્વદમાં 300 રોગોની દવાનો ઉપચાર કહેવામાં આવ્યો છે. સરગવાના ફૂલ સ્વાસ્થ્ય અને સૌંદર્ય માટે સારા ગુણોથી ભરપૂર છે. આજે અમે તમને સરગવાના ફાયદા માટે જણાવીશું.
સરગવામાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયરન, મેગ્નેશિયમ, વિટામીન એ, સી અને બી કૉમ્પ્લેક્સ પ્રચુર માત્રામાં મળી આવે છે. એક અભ્યાસ અનુસાર એમાં દૂધની સરખામણીમાં 4 ગણું કેલ્શિયમ અને બમણું પ્રોટીન મળી આવે છે. આ ઘણી બિમારીઓથી છુટકારો અપાવે છે.
સરગવો પાચનથી જોડાયેલી સમસ્યાઓ ખતમ કરી દે છે. દસ્ત, કમળો, કોલાઇટિસ થવા પર એના પાનનો તાજો રસ, એક ચમચી મધ અને નારિયેળ પાણી મિક્સ કરો.
આ એક હર્બલ દવાઓ છે.
પ્રેગનેન્સી દરમિયાન સરગવાનું ફળ અને એના ફૂલોનું શાક ખાવાથી મહિલાઓ અને બાળકો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ગર્ભાવસ્થામાં એનું સેવન કરતા રહેવાથી બાળકના જન્મ સમયે આવતી સમસ્યાઓથી બચી શકાય છે.
સરગવાનું સેવન સેક્સ પાવર વધારવામાં મદદ કરે છે, આ મામલે મહિલાઓ અને પુરુષો બંને માટે ફાયદારકારક છે. પુરુષોમાં આ શુક્રાણુઓની સંખ્યા વધારવામાં અને સ્પર્મ જાડુ કરવામાં મદદરૂપ છે.
ખૂબ જ વધારે શરદી થવા પર સરગવો ફાયદાકારક છે. એને પાણીમાં ઉકાળીને પાણીની વર લેવાથી બંધ નાક ખુલી જાય છે.