દુનિયાભરમાં નશાના કારણે દર વર્ષે 2 લાખ લોકોના મોત થયા છે. તેમજ ગત 3 વર્ષમાં ડ્રગ્સનું બજાર 455 ટકા વધી ગયુ છે.
વિશ્વમાં નશાના કારણે દર વર્ષે 2 લાખ લોકોના મોત થાય છે
ગત 3 વર્ષમાં ડ્રગ્સનું બજાર 455 ટકા વધ્યું
દુનિયાની સરખામણીએ ભારતમાં અફીણનું ગેરકાયદેસર સેવન વધારે
વિશ્વમાં નશાના કારણે દર વર્ષે 2 લાખ લોકોના મોત થાય છે
ગત કેટલાક સમયમાં ડ્રગ્સનો વ્યવસાય કરનારા પર એનસીબીએ એક કડક કાર્યવાહી થઈ છે. ત્યારે આ ગુનામાં સજા મળવાના કેસમાં 4 વર્ષમાં 11 ટકા વધારો થયો છે. 2020માં કૈફી પદાર્થોના વ્યવસાય સાથે જોડાયેલા 81.6 ટકા ગુનેગારોને સજા મળી છે. ત્યારે દુનિયાભરમાં નશાના કારણે 2 લાખ લોકોના મોત દર વર્ષે થયા છે. તેમજ ગત 3 વર્ષમાં ડ્રગ્સનું બજાર 455 ટકા વધી ગયુ છે. જે ચિંતાજનક છે.
2.1 ટકા લોકો ગેરકાયદેસર રીતે દેશમાં નશીલા પદાર્થોનું સેવન કરે છે
દેશમાં 2.1 ટકા લોકો ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થોનું સેવન કરે છે. જેમાં પહેલા મિઝોરમ, બીજુ પંજાબ અને ત્રીજા નંબર પર દિલ્હી આવે છે. 44 ટકા ડ્રગ્સ એડિક્ટ્સ નશાને છોડવાનો પ્રયાસ કરે છે. પરંતુ તેમાંથી 25 ટકાને જ સારવાર મળી શકે છે. નશો કરનારામાં સૌથી વધારે લોકો સિક્કિમમાં છે. બીજા નંબર પર ઓડિશા અને લિસ્ટમાં ત્રીજા નં. દિલ્હી છે.
દુનિયાની સરખામણીએ ભારતમાં અફીણનું ગેરકાયદેસર સેવન વધારે
દુનિયાની સરખામણીએ ભારતમાં અફીણથી બનનારા ગેરકાયદેસરના નશીલા પદાર્થોનું સેવન વધારે થાય છે. યૂએન ઓફિસ ઓફ ડ્રગ એન્ડ કન્ટ્રોલના રિપોર્ટ મુજબ વર્ષ 2016માં સમગ્ર દુનિયામાં સપ્લાય થનારા ગાંજાના 6 ટકા એટલે કે લગભગ 300 ટન ગાંજો એકલો ભારતમાં જપ્ત કરવામાં આવી રહ્યો હતો. એટલું જ નહીં વર્ષ 2017માં આ માત્રા વધીને 352 ટન થઈ ગઈ. ત્યારે જો ચરસની વાત કરીએ તો 2017માં 3.2 ટન ચરસ જપ્ત કરવમાં આવી હતી. જો કે નશાના વ્યવસાયનો સટીક આંકડો ઉપલબ્ધ નથી. પરંતુ અલદ અલગ એજન્સીથી મળેલું અનુમાન છે કે ભારચમાં આ વર્ષનું વાર્ષિક બિનકાયદેસ બિઝનેસ લગભગ 10 લાખ કરોડ છે.
ગત વર્ષમાં 455 ટકા વધ્યો ડ્રગ્સનો બિઝનેસ
ગત 3 વર્ષમાં ભારતમાં ડ્રગ્સ બજારમાં 455 ટકા વધારો થયો છે. યૂએનઓડીસીએ વર્ષ 2015ના આંકડા મુજબ દુનિયાભરમાં લગભગ 23.4 કરોડ લોકો ડ્રગ્સ વાપરે છે. દર વર્ષે ડ્રગ્સના કારણે લગભગ 2 લાખ લોકોના જીવ ગયા છે. જુલાઈ 2016માં રાજ્ય સભામાં રજૂ કરવામાં આવેલા રાષ્ટ્રીય ક્રાઈમ બ્યૂરોના સંબંધી આંકડા અનુસાર ભારતમાં દર રોજ ડ્રગ્સ અથવા દારુના ચાલતા 10 મોત અથવા આત્મહત્યા થાય છે. આ ઉપરાંત એક મોત પંજાબમાં થાય છે તો આ લતને કારણે સૌથી વધારે આત્મહત્યા મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, તમિલનાડુ અને કેરળમાં થાય છે. ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, મ્યાંમાર અને નેપાળથી હેરોઈન,કોફીન અને માર્ફીન ભારતના રસ્તે દુનિયાભરમાં સપ્લાય થાય છે.