દવા ક્ષેત્રના સરકારી નિયામક એનપીપીએ (એનપીપીએ)એ એક મોટો નિર્ણય લીધો છે. દવાઓની કિંમતો પર નજર રાખતી નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી એટલે કે એનપીપીએએએ 84 દવાઓના રિટેલ ભાવ નક્કી કર્યા છે.
ડાયાબિટીસ, માથાનો દુખાવો અને હાઈ બ્લડ પ્રેશરની દવાઓ સસ્તી મળશે
આ દવાઓમાં ડાયાબિટીસ, માથાનો દુખાવો અને હાઈ બ્લડ પ્રેશરની દવાઓનો સમાવેશ થાય છે. દવાઓના ભાવ નક્કી થવાથી ફાર્મા કંપનીઓ પોતાની મરજીથી ભાવમાં વધારો નહીં કરી શકે. આ દવાઓ ચોક્કસ દરે જ વેચવામાં આવશે. આનાથી ગ્રાહકોને સસ્તા દરે દવાઓ મળશે.
કઈ દવાની કેટલી કિંમત
એનપીપીએએ એક નોટિફિકેશન જારી કરીને દવાઓના ભાવ નક્કી કર્યાં છે. વોગ્લિબોસ અને (એસઆર) મેટફોર્મિન ઇડ્રોક્લોરાઇડના ટેબ્લેટની કિંમત 10.47 રૂપિયા હશે, જેમાં જીએસટી શામેલ નથી. આ જ રીતે પેરાસિટામોલ અને કેફીનની કિંમત 2.88 રૂપિયા પ્રતિ ટેબલેટ નક્કી કરવામાં આવી છે. આ સિવાય રોસુવાસ્ટેટિન એસ્પિરિન અને ક્લોપીડોગ્રલ કેપ્સુલની કિંમત 13.91 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ચાલુ વર્ષે દવાઓના ભાવ વધ્યાં હતા..
ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષના એપ્રિલમાં એપીપીએ ઘણી દવાઓના ભાવમાં 11 ટકાનો વધારો કર્યો હતો તેને કારણે ઘણી દવાઓ મોંઘી થઈ ગઈ હતી આ દવાઓમાં જરુરી અને લાઈફ સેવિંગ દવાઓ પણ સામેલ છે.