કહેવામાં આવે છે ડૂબતા વ્યક્તિને તણખલાનો સહારો મળી જાય છે પરંતુ મધ્ય પ્રદેશમાં એક ડૂબતા યુવાનને ભગવાનનો સહારો મળ્યો. વિદિશા જીલ્લામાં પૂર વખતે એક યુવાન ડૂબી રહ્યો હતો અને તેને ભગવાનના મંદિરનો સહારો મળી ગયો હતો.
ડૂબતાને ભગવાનનો સહારો
મધ્યપ્રદેશના યુવકનો કિસ્સો
ભગવાને બચાવ્યાની ચર્ચાઓ
મધ્યપ્રદેશમાં ઉફનતી નદી છે, પુલ, કિનારા મંદિર સહિત બધુ ડૂબી ગયુ છે. જાણે ભગવાનનો જળ અભિષેક થતો હોય તે રીતે મંદિરો ડૂબી ગયા છે. એવામાં એક યુવકે મંદિરના શીખરને પકડી રાખ્યુ છે. લોકોએ જ્યારે આ જોયુ ત્યારે તેને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
એક યુવક નદીમાં નાહવા ગયો હતો અને તેનો પગ લપસી જતા તે નદીમાં તણાવા લાગ્યો, પરંતુ તેને એક મંદિરનુ શીખર મળી ગયુ અને તેણે તે શીખર પકડી લીધું. લોકોએ તેને જોયો અને બચાવવાની કામગીરી હાથ ધરી. આ દ્રશ્ય આંખના પલકારામાં સોશ્યલ મિડીયા પર વાયરલ થઇ ગયુ. લોકો તો ચર્ચા કરવા લાગ્યા કે આ વ્યક્તિને બચાવવા માટે સાક્ષાત ભગવાન હાજર થયા છે.
હોમગાર્ડે રેસ્ક્યુ કરીને આ યુવકને બચાવી લીધો હતો. તેની પાસે દોરડુ અને ટાયર ફેંકવામાં આવ્યા જેથી યુવક તે પકડીને બહાર આવી શકે. આને કહેવાય ડૂબતા વ્યક્તિને તણખાનો નહી મંદિરનો સહારો.