યમનનાં મારીબમાં એક મસ્જિદ પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કરવામાં આવતા 70થી વધુ સૈનિકોની મોતની ખબર આવી રહી છે. હૂતી વિદ્રોહીઓ દ્વારા અત્યાર સુધી કોઈ જવાબદારી લીધી નથી. જે સમયે હુમલો કરવામાં આવ્યો તે સમયે જવાન નમાઝ અદા કરી રહ્યા હતા.
આ હુમલામાં 150થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા
મારિબમાં સાંજે નમાજ દરમિયાન સાંજે સૈન્ય શિવિર હુમલો કરવામાં આવ્યો
ગૃહ યુદ્ધમાં અત્યાર સુધી 10 હજાર લોકોનાં જીવ ગયા છે
આ હુમલામાં 150થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. માનવામાં આવે છે કે હૂતી વિદ્રોહીઓને ઈરાન સમર્થન કરે છે. સાઉદી અરબનાં નેતૃત્વ વાલા સૈન્ય સંગઠનનાં સમર્થનની યમન સરકારથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે છેલ્લાં ઘણા સમયથી શાંતિ હતી. પ્રાપ્ત જાણકારીઓ અનુસાર હૂતી વિદ્રોહીએ સનાનાં પૂર્વમાં 170 કિમી દૂર મારિબમાં સાંજે નમાઝ દરમિયાન સાંજે સૈન્ય શિવિર હુમલો કરવામાં આવ્યો.
હુમલા બાદ યમનની રાજધાની સનામાં વિદ્રોહી ઠેકાણાઓ સાઉદી અરબ સમર્થિત બળોએ પણ હુમલો કરવાનું શરુ કરી દીધું
આ હુમલાનાં એક દિવસ પહેલાં જ સરકારી બળોએ સનાનાં ઉત્તરમાં સ્થિત નાહમ ક્ષેત્રમાં હૂતી વિદ્રોહીઓ વિરુદ્ધ અભિયાન ચલાવ્યું હતું. યમનનાં રાષ્ટ્રપતિએ આ હુમલાની નિંદા કરી છે. આ હુમલા બાદ યમનની રાજધાની સનામાં વિદ્રોહી ઠેકાણાઓ સાઉદી અરબ સમર્થિત બળોએ પણ હુમલો કરવાનું શરુ કરી દીધું. સાઉદી અરબ યમનમાં ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓથી લગભગ 5 વર્ષથી લડત લડી રહ્યું છે. પ્રાદેશિક મીડિયા અનુસાર જવાબી હુમલામાં ઓછામાં ઓછા 22 લોકો મૃત્યુ પામ્યા છે.
30 લાખથી વધુ લોકોને વિસ્થાપિત કરવામાં આવ્યા
હૂતી વિદ્રોહીઓએ 2014માં યમનની રાજધાની સના સહીત મોટાભાગનાં ઉત્તરનાં વિસ્તારને પોતાના કબ્જામાં લઇ લીધું હતું. જે બાદ ગૃહયુદ્ધ શરુ થઇ ગયું હતું. આ ગૃહયુદ્ધમાં અત્યાર સુધી 10 હજાર લોકોનાં જીવ ગયા છે. 30 લાખથી વધુ લોકોને વિસ્થાપિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ અબ્દુ-રબ્બુ મન્સુર હાદીએ સાઉદી અરબમાં નિર્વાસિત થવું પડ્યું હતું.