ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતની ઐતિહાસિક જીત બાદ સમગ્ર ક્રિકેટ જગતે ટીમને સલામ કરી છે
રાહુલ દ્રવિડ છે દ્રોણાચાર્ય
દ્રવિડે કર્યો નવા ખેલાડીઓ પર ભરોસો
કોહલીની ટીમ બનાવનાર દ્રવિડ
નવા ખેલાડીઓ ઝળક્યા
મો.સિરાજ, શુભમન કે પંત દરેક ખેલાડીએ પોતાનું 100 ટકા પફોર્મન્સ બતાવ્યું અને સફળતાનો ધ્વજ ફરકાવ્યો. ઓસ્ટ્રેલિયાની જીત બાદ એક નામ સૌથી વધુ ચર્ચામાં છે તે અન્ય કોઇ નહી પરંતુ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન રાહુલ દ્વવિડ છે.
દ્રવિડે કર્યો ભરોસો
રાહુલ દ્વવિડને આ નવી ભારતીય ટીમનો દ્રોણાચાર્ય કહેવો તે કોઇ જ અતિશયોક્તિ નથી. દ્રવિડ વગર આ નવી ટીમનું નવ-નિર્માણ અસંભવ હતું. આ સિરીઝમાં ભારતીય ટીમના અનુભવી ક્રિકેટર્સ બહાર હતા જ્યારે ટીમ યુવા ખેલાડીઓના ભરોસે ઉતરી હતી.
મો.સિરાજ, શુભમન ગીલ, વૉશિંગ્ટન સુંદર અને શાર્દુલ ઠાકુર આ સિરીઝમાંથી સ્ટાર બનીને બહાર આવ્યા છે. આ લોકોની સક્સેસ પાછળ રાહુલ દ્રવિડની અપાર મહેનત છે. આ ખેલાડીઓને દ્રવિડે પોતાની કોચિંગ દ્વારા બનાવ્યા છે.
શાનદાર પફોર્મન્સ
પોતાના પહેલા ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સિરાજ, સુંદર, ગિલ અને શાર્દુલે ધેર્ય તેમજ વિશ્વાસથી શાનદાર પ્રદર્શન કર્યુ, જેના કારણે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના ગઢ ગાબામાં તેને પછાડી શકી. આ ખેલાડીઓના ગેમ ચેન્જીંગ પ્રદર્શન પાછળ રાહુલ દ્રવિડની પ્રણાલીગત કોચિંગ હતી.
ભારતીય ટીમને સિલેક્ટ ન કરી
રાહુલ દ્રવિડને ભારતીય ટીમના કોચ બનવા માટે આવેદન કરવાની જગ્યાએ અંડર-19 અને ઇન્ડિયા એ-ટીમને કોચિંગ આપવું વધારે યોગ્ય સમજ્યું, જેથી ભારતની બેંચ સ્ટ્રેન્થ મજબૂત થઇ શકે. જેનું પરિણામ સિરીઝમાં જોવા મળ્યું, જ્યારે નેટ બૉલર તરીકે ગયેલા સુંદર અને નટરાજને ગાબામાં પોતાનું ડેબ્યું કર્યુ હતુ.
દ્રવિડની કોચિંગમાં જીત્યા કપ
દ્રવિડે 2015-19 સુધી અંડર-19 અને ઇન્ડિયા-એ ટીમને કોચિંગ આપી. કોચ તરીકે દ્રવિડનું પહેલુ મોટુ કામ 2016ની અંડર 19 વિશ્વકપ હતું. જ્યાંથી પંત, સુંદર નીકળીને આવ્યા છે. પંતે જોરબાદ બેટિંગ કરીને ભારતને જીત સુધી પહોંચાડ્યુ જ્યારે સુંદરે સ્ટિવ સ્મિથને આઉટ કર્યો.
શુભમન ગીલે બીજી ઇનિંગમાં 91 રન નાવીને ભારતની જીતનો પાયો ખોદ્યો હતો. ગિલે પૃશ્વી શૉની કપ્તાનીમાં 2018 અંડર-19 વિશ્વકપ વિજેતા ટીમનો સદસ્ય હતા.
મોહમ્મદ સિરાજ ઇન્ડિયા એ-ટીમ સાથે સિનિયર ટીમના નેટ બૉલર તરીકે ન્યુઝીલેન્ડ, ઇંગ્લેન્ડ અને વેસ્ટઇન્ડિઝના પ્રવાસે જઇ ચૂક્યા છે. સિરાજે 2016-17ની રણજીમાં ભરતની કોચિંગમાં હૈદરાબાદ માટે 41 વિકેટ લીધી હતી. સિરાજને આ દરેક વાતનો ફાયદો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ડેબ્યુમાં મળ્યો.
ફ્યુચર પ્લાન
દ્રવિડનું ધ્યાન હવે રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી પર કેન્દ્રિત છે. ત્યારે પણ ઇંગ્લેન્ડ વિરુદ્ધ ઘરેલૂ સિરીઝમાં સામેલ 7 રિઝર્વ ખેલાડીઓને દ્રવિડ બહાર લઇને આવ્યો છો.
દ્રવિડે ભારત માચે 164 ટેસ્ટ મૅચમાં 13288 રન બનાવ્યા છે,. જેમાં 36 શતક અને 63 અર્ધ શતક સામેલ છે. તે દરમિયાન રાહુલનો મેક્સિમમ સ્કોર 270 રહ્યો છે. દ્રવિડે 344 વન ડે મૅચમાં 10889 રન બનાવ્યા છે. જેમાં 12 શતક અને 83 અર્ધ શતક સામેલ છે.