કોરોના કાળમાં ડ્રાઇવિંગ લાઇસન્સ, આરસી બુક અને ગાડીના પરમિટ પર કેન્દ્ર સરકારે છૂટ આપી હતી પણ હવે આ નિયમ તમામ વાહનચલકોએ જાણી લેવો જરૂરી
કોરોના કાળમાં ડ્રાઇવિંગ લાઇસન્સ, આરસી બુક અને ગાડીના પરમિટ પર કેન્દ્ર સરકારે છૂટ આપી હતી જે હવે 30 ઓકટોબર સુધી સીમિત કરી દેવામાં આવી છે.
હવે કોઈ સમય નહીં મળે
કોરોના વાયરસ મહામારી દરમિયાન કેન્દ્ર સરકારે ડ્રાઇવિંગ લાયસન્સ અને રજીસ્ટ્રેશન કાર્ડ સહિતનાં દસ્તાવેજોને રિન્યૂ કરાવવા માટે છૂટ આપી હતી. છેલ્લા ઘણા મહિનાથી ડેડલાઇન વારંવાર લંબાવવામાં આવી રહી હતી. જોકે હવે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે હવે કોઈ જ ડેડલાઇન લંબાવવામાં આવશે નહીં. કેન્દ્રીય પરિવહન મંત્રાલય દ્વારા આદેશ જાહેર કરી દેવામાં આવે છે કે 31 ઑક્ટરોબર બાદ કોઈ છૂટ આપવામાં આવશે નહીં.
17 જ દિવસનો સમય બાકી
31 ઑક્ટરોબર સુધીનો સમય આપવામાં આવતા હવે એવામાં જો તમારી આરસી બૂક અથવા ડ્રાઇવિંગ લાયસન્સ એક્સપાયર થઈ ગયું હોય અને રિન્યૂ કરાવવાનું બાકી હોય તો હવે માત્ર 17 જ દિવસનો સમય બાકી રહ્યો છે.
ઘણા લોકો બેદરકારીના કારણે રિન્યુઅલ વગર જ વાહન ચલાવવાની ભૂલ કરતાં હોય છે પરંતુ હવે તેને લગતા નિયમો કડક કરી દેવામાં આવ્યા છે જેના કારણે સાવચેતી રાખવી અનિવાર્ય છે.
છેલ્લા કેટલાક સમયમાં હેલમેટ જેવા નિયમોના કારણે દંડની સંખ્યામાં વધારો થયો છે પણ તેની થોડી ઘણી અસર લોકોમાં પણ જોવા મળી છે અને એ જ રીતે પ્રદૂષણ વિરોધી પગલાં લેવામાં આવતા તેના ફાયદા પણ લાંબા ગાળે જોવા મળશે તેવી આશા છે.