અમદાવાદના નિકોલ વિસ્તારમાં પણ ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન હાથ ધરાયું હતું, અને કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યાં છતાં લોકોને રસી લીધા વિના પરત ફરવું પડ્યું હતું
અમદાવાદના નિકોલમાં વેક્સિનેશનમાં અટવાયા લોકો
વેક્સિનના અભાવે વહેલો ગેટ બંધ કરાયો
કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યાં છતાં ન મળી રસી
અમદાવાદ શહેરના નિકોલમાં ડ્રાઇવ થ્રુ વેક્સિનેશ શરૂ થયા તે પહેલા જ ફિયાસ્કો થયો છે. વેક્સિનના અભાવે લોકોને રસી લીધા વિના જ પરત ફરવાનો વારો આવ્યો છે. વાત એમ છે કે નિકોલ વિસ્તારમાં પણ ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન હાથ ધરાયું હતું. જેને લઇ વહેલી સવારથી જ રસી લેવા માટે લોકો ઉમટી પડ્યાં હતા. અને કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યાં છતાં લોકોને રસી લીધા વિના પરત ફરવું પડ્યું હતું.
વેક્સિનના અભાવે કલાકો સુધી લાઇનમાં રહ્યાં બાદ લોકોને પરત ફરવાનો વારો આવ્યો હતો. એટલું જ નહીં આમ તો સામાન્ય રીતે કોર્પોરેશન દ્વારા વેક્સિનેશનનો સમયે સવારે 9થી સાંજના 5 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. પરંતુ અહીં વેક્સિન પૂરી થઇ જતા બપોરે ત્રણ વાગે જ સેન્ટર બંધી કરી દેવાયું હતું. જેને કારણે લોકોને ધક્કો ખાવો પડ્યો હતો અને જે લોકો રસી લેવા આવી રહ્યાં છે તેમને પણ આવતી કાલે સવારે આવવા કહેવાયું છે.
ગુજરાતમાં રાત્રિ કર્ફ્યૂને લઇ સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે..કોરોના કેસની સંખ્યામાં છેલ્લા કેટલાંક દિવસોથી સતત ઘટાડો થઈ રહ્યો હોવા છતાં રાજ્ય સરકાર કોઈ જોખમ લેવા માંગતી નથી. જેથી હાલ કરફ્યૂનો જે સમય છે તેને જ યથાવત જાળવી રાખવામાં આવ્યો છે. કરફ્યૂના સમયમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.રાજ્યના 36 શહેરોમાં વધારાના મર્યાદિત નિયંત્રણો અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વનો નિર્ણય લીધો છે.
જે અનુસાર હવે 8 મહાનગરો સહિત 36 શહેરોમાં રાત્રિના 8 થી સવારના 6 વાગ્યા સુધી કોરોના કર્ફ્યુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ સુધી રાખવામાં આવ્યા છે.12 મેથી 18 મે સુધી દરરોજ રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુનો અમલ આ શહેરોમાં કરવાનો રહેશે.જણાવી દઇએ કે, આ નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદી, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચશ્માની દુકાનો ચાલુ રહેશે.