નિષ્ણાંતોનું માનીએ તો આવા હલ્કા સાઈડ ઈફેક્ટને પણ ઓછા અથવા તો સંપૂર્ણ રીતે ખતમ કરી શકાય છે.
વેક્સિન લીધા બાદ થતા સાઈડ ઈફેક્ટ્સને કઈ રીતે રોકી શકાય?
વેક્સિન લીધા બાદ પાણી પીવાથી રોકી શકાય છે સાઈડ ઈફેક્ટ્સ?
ભરપૂર માત્રામાં તરલ પદાર્થ અથવા પાણી પીવું જોઈએ?
કોરોનાની બીજી લહેર બાગ વેક્સિનેશન ઝડપથી થઈ રહ્યું છે. પરંતુ ઘણા લોકોમાં તેના હલ્કા સાઈડ ઈફેક્ટ પણ જોવા મળી રહ્યા છે. નિષ્ણાંતોનું માનીએ તો આવા હલ્કા સાઈડ ઈફેક્ટને પણ ઓછા અથવા તો સંપૂર્ણ રીતે ખતમ કરી શકાય છે. એક્સપર્ટનો દાવો છે કે વેક્સિન લીધા પહેલા અને બાદમાં ભરપૂર માત્રામાં તરલ પદાર્થ અથવા પાણી પીવું જોઈએ. જેનાથી પોસ્ટ વેક્સિનેશન સાઈડ ઈફેક્ટ્સનો ખતરો ઓછો થઈ જાય.
વેક્સિન લીધા બાદ કેમ થાય છે સાઈડ ઈફેક્ટ
જ્યારે વેક્સિન લઈએ છીએ તો શરીરમાં એન્ટીબોડીનું નિર્માણ થવાનું શરૂ થઈ જાય છે. એવામાં સાથે આપણી ઈમ્યુન સિસ્ટમ ડિફેન્સ મોડમાં આપી જાય છે. આજ કારણ છે કે વેક્સિનેશન બાદ બોડીમાં હલ્કા સાઈડ ઈફેક્ટ જોવા મળે છે. હકીકતે શરીર આ પ્રકારે જ દરેક પ્રકારના રોગ ફેલાવતા વાયરસ અથવા બેક્ટેરિયા વિરૂદ્ધ પ્રતિક્રિયા કરે છે.
શું પાણી સાઈડ ઈફેક્ટને ઓછું કરી શકે છે?
હકીકતે આવા કોઈ પુરાવા નથી કે કોરોના વેક્સિનેશનના સાઈડ ઈફેક્ટને પાણી પીવાથી ઓછુ કરી શકાય. પરંતુ તેનાથી ઘણા લોકોને ચક્કર આવવા અને બેભાન થવા વગેરેની સમસ્યાઓ થઈ શકે છે. એવામાં એક્સપર્ટનું માનવું છે કે શરીર હાઈડ્રેટેડ રહેવાથી આવી સમસ્યા ઓછી થઈ શકે છે.
વધારે પડતુ પાણી પીવું પણ ખતરનાક
પરંતુ આ ચક્કરમાં ઘણા લોકો વધારે માત્રામાં પાણી પીવાનું પણ શરૂ કરી શકે છે જે શરીર માટે ખૂબ ખતરનાક પણ સાબિત થઈ શકે છે. જ્યારે પાણીથી શરીરનું સોડિયમ લેવલ અચાનકથી નીચે પડી શકે છે, માથામાં દુખાવો, થાક વગેરે થવાનું શરૂ થઈ શકે છે જેનાથી મૃત્યુની પણ સંભાવના છે.
વેક્સીન લીધા પહેલા અને બાદમાં પાણી પીવું જોઈએ?
હકીકતે યુનાઈટેડ સ્ટેટ્સ સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનની વાત માનીએ તો વેક્સિન લીધા બાદ જો તમને તાવ આવે છે તો તરલ પદાર્થ ભરપુર માત્રામાં પીવો જોઈએ. ફક્ત પાણી પીવાથી શરીરમાં મીઠાની માત્રા ઓછી થઈ શકે છે. પરંતુ તરલ પદાર્થ પીવાથી શરૂરમાં પાણી અને મીઠાની માત્રા સંતુલિત રહે છે.