બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / વરસાદમાં બીમારીઓથી બચાવશે આ ઘરેલુ નુસખો, માદા લોકો પણ થઈ જાય છે એક ઝાટકે બેઠા

હેલ્થ ટિપ્સ / વરસાદમાં બીમારીઓથી બચાવશે આ ઘરેલુ નુસખો, માદા લોકો પણ થઈ જાય છે એક ઝાટકે બેઠા

Last Updated: 05:01 PM, 15 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્દૂ ધર્મમાં તુલસીને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. વિષ્ણુ ભગવાનને પ્રિય હોવાને કારણે તુલસી વંદનીય અને પૂજનીય છે. તુલસીમાં ઔષધીય ગુણ પણ હોય છે. જેથી અનેક બીમારીનો ઈલાજ છે. ચોમાસાની ઋતુમાં અનેક મોસમી બીમારીનો ભોગ આપણે બનીએ છીએ. તે સમયે શ્યામ તુલસી બેસ્ટ વિકલ્પ છે.

લોકો પોતાના દિવસની શરૂઆત ચાની સાથે કરે છે. પરંતુ દૂધની ચાથી ઘણા લોકોને એસિડીટી થાય છે અને તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક નથી. તેથી દૂધની જગ્યાએ તુલસીની ચા પીવી જોઈએ. આર્યિવેદમાં પણ તેનો ઉપયોગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જાણો દરરોજ સવારે તુલસીની ચા પીવાના ફાયદા વિશે.

ઈમ્યુનિટી વધે છે

મોનસૂમાં ઈમ્યુનિટીનું ખાસ ધ્યાન રાખવું પડે છે નહીં તો ઈન્ફેક્શનનું જોખમ રહે છે. તુલસીની ચા પીવાથી ઈમ્યુનિટી સિસ્ટમ મજબૂત થાય છે. તુલસીમાં એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે અને ઈન્ટિમાઈક્રોબિયલ ગુણ પણ હોય છે જે ઈમ્યુનિટી વધારે છે અને ઈન્ફેક્શનની સામે લડવામાં મદદ કરે છે.

પાચન માટે ફાયદાકારક

તુલસીની ચા પાચન માટે પણ ફાયદાકારક હોય છે. તેને દરરોજ પીવાથી બ્લોટિંગ, ગેસ અને અપચા જેવી સમસ્યાથી છૂટકારો મળે છે. એટલું જ નહીં તેને પીવાથી આંતરડાનું પીએચ લેવલ સંતુલિત રહે છે અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે.

શરદી ઉધરસથી રાહત

ચોમાસામાં શરદી-ઉધરસની જોખમ વધી જાય છે. ત્યારે તુલસીની ચા પીવાથી શરદી ઉધરસમાં રાહત થાય છે. સાથે જ વાયરલ ઈન્ફેક્શનની સામે લડવામાં પણ તુલસીની ચા મદદ કરે છે.

બ્લડ સુગર નિયંત્રિત રહે છે

તુલસીની ચા પીવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. તેને પીવાથી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધે છે જેનાથી સેલ્સ ઇન્સ્યુલિનનો સારી રીતે ઉપયોગ કરી શકે છે. તુલસીની ચા ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.

વધુ વાંચોઃ- વજન ઓછું કરવું છે તો ડાઈટમાં શામેલ કરી લો આ ડ્રાયફ્રૂટ, શરીરને મળશે અઢળક ફાયદાઓ

હૃદય માટે ફાયદાકારક

હૃદય માટે તુલસીની ચા ઘણી ફાયદાકારક છે. તેને પીવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે અને કોલેસ્ટેરોલનું સ્તર પર ઓછું રહે છે. સાથે તેમાં રહેલ એન્ટિઓક્સિડન્ટ્સ, ઓક્સિડેટિવ ડેમેજ ઘટાડે છે જે હૃદયની બીમારીથી બચાવવામાં મદદ કરે છે.

ત્વચા માટે ફાયદાકારક

તુલસીની ચામાં એન્ટિઓક્સિડન્ટ્સ અને એન્ટિમાઈક્રોબિયલ ગુણ હોય છે જે સ્કિન માટે ફાયદાકારક હોય છે. એન્ટિઓક્સિડન્ટ્સ એજિંગના લક્ષણો ઘટાડવામાં મદદ કરે છે અને એન્ટિમાઈક્રોબિયલ ગુણ એક્નેની સમસ્યાથી રાહત મળે છે.

સંકળાયેલા મુદ્દાઓ

health benefit tulasi Lifesttyle
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ