પ્રેગ્નેન્સી વખતે મહિલાના શરીરને ઘણા પોષક તત્વોની જરૂર હોય છે. નારિયેળ પાણીને પોષક તત્વોનો ભંડાર કહેવામાં આવે છે. દરરોજ નારિયેળ પાણી પીવાથી મહિલાના શરીરની ઘણી જરૂરીયાતો પુરી કરી શકાય છે.
પ્રેગ્નેન્ટ મહિલાઓ જરૂર પીવો નારિયેળ પાણી
બાળક અને માતા બન્ને માટે છે ફાયદાકારક
જાણો તેના ફાયદાઓ વિશે
બાળકનો વિકાસ સારો થાય છે
મેગ્નેશિયમ, કેલ્શિયમ, વિટામિન્સ, ફાઈબર, એન્ટી-એક્સીડેન્ટ્સ વગેરે તમામ ગુણોથી ભરપુર નારિયેળ પાણી પોષક તત્વોનો ખજાનો હોય છે. તેનું સેવન માતા અને ગર્ભમાં રહેલા બાળક બન્ને માટે ફાયદાકારક સાબિત થાય છે. તેનું સેવન કરવાથી બાળકને જરૂરી પોષક તત્વ મળે છે અને તેનો વિકાસ સારી રીતે થાય છે.
ઈમ્યુનિટીને બુસ્ટ કરે છે
પ્રેગ્નેન્સી વખતે મોટાભાગે મહિલાઓને મોર્નિંગ સિકનેસની સમસ્યા રહે છે. એવામાં ઉલ્ટી વગેરેની સમસ્યા થાતી હોય છે. નારિયેળ પાણીથી શરીરને તાકાત મળે છે અને આ પ્રકારની સમસ્યાઓ નિયંત્રિત થઈ જાય છે. તે ઉપરાંત મહિલાઓની ઈમ્યુનિટીને બુસ્ટ કરી શકાય છે અને તેમનો થાક, કમજોરી વગેરે સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળે છે.
પાચનતંત્ર મજબૂત કરે છે
પ્રેગ્નેન્સીમાં મહિલાઓને કબજીયાતની સમસ્યા ખૂબ કોમન છે. રોજ નારિયેળ પાણી પીવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળી રહે છે અને કબજીયાતની મુશ્કેલીમાં રાહત મળે છે. નારિયેળ પાણી તમારા પાચન તંત્રને મજબૂત કરે છે.
શરીરમાં પાણીની કમી દૂર થાય છે
નારિયેળ પાણી મહિલાઓના શરીરમાં પાણીની કમીને દૂર કરે છે. પાણીની કમી થવા પર ચક્કર, માથામાં દુખાવો વગેરેની સમસ્યાઓ રહે છે. જો નિયમિત રીતે નારિયેળ પાણી પીવામાં આવે તો સમસ્યા નિયંત્રિત થઈ શકે છે. સાથે જ શરીર ડિટોક્સીફાઈ થઈ જાય છે. તેનાથી યુરિન ઈન્ફેક્શનનું રિસ્ક ઘટી શકે છે.
પેટમાં એસિડ બનવાથી રેકો છે
જે ગર્ભવતી મહિલાઓને પેટમાં ગેસની સમસ્યા રહે છે. ખાટ્ટા ઓડકાર આવે છે અથવા એસિડિટી વગેરેની સમસ્યા થાય છે તેમના માટે નારિયેળ પાણી ખૂબ ઉપયોગી છે. તે પેટમાં એસિડ બનાવવાથી રોકી શકે છે.