હાલના સમયમાં ચારે તરફ કોરોનાનો કહેર વરસી રહ્યો છે. બધા જ લોકો બિમારીથી લડવા માટે બનતા પ્રયત્નો કરી રહ્યાં છે ત્યારે આ એક પાણી પીવાથી તમારી ઇમ્યૂન સિસ્ટમ થશે હેલ્ધી, જાણી લો રીત.
કોરોનાથી બચવા પીવો મગની દાળનું પાણી
કોરોના આપણી આસપાસ જ છે
હેલ્થ સાચવવી ખુબ જરૂરી બની રહી છે
કોરોના વાયરસ અને બિમારીઓથી લડવા માટે મોંઘા સુપ કે જ્યુસની જગ્યાએ મગનુ પાણી પી શકાય છે. દાળનું પાણી શરીરના ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે અને શરીરમાં જમા થયેલી ગંદકી તેમજ અશુદ્ધિઓને સાફ કરે છે. જેના કારણે બિમારીઓમાંથી બચી શકાય છે.
ડાયબિટીઝમાં કારગર
મગની દાળનું પાણી શરીરમાં ઇંસુલીનના લેવલને વધારવામાં મદદ કરે છે. સાથે જ લોહીમાં ગ્લુકોઝના લેવલને પણ કંટ્રોલ કરે છે. તેનાથી ડાયબિટીઝના દર્દીઓને ઘણો લાભ થાય છે.
કબજીયાત અને ગેસની પ્રોબ્લેમ
મગની દાળનું પાણી પીવાથી શરીરને જોઇતા ફાઇબર મળે છે. સાથે જ તે પાચનતંત્રને શ્રેષ્ઠ બનાવે છે. તેમજ કબજીયાત, ગેસ, એસિડીટી જેવી સમસ્યા દૂર કરવામાં મદદ મળે છે.
વજન ઓછુ કરે
જે લોકો વેઇટ લોસ કરવા માંગે છે તે રોજ મગની દાળનું પાણી પીવાનું શરૂ કરી દે. તેમાં કેલેરીઝ વધારે પ્રમાણમાં ઓછી તાય છે અને તે ફાઇબરથી ભરેલુ હોય છે માટે પેટ લાંબા સમય સુધી ભરેલુ રહે છે.
કેવી રીતે બનાવશો પાણી
મગની દાળ લઇને તેને કૂકરમાં બાફી લો, બાફતી વખતે તેમાં મીઠુ નાંખી શકાય. જેવી દાળ બફાઇ જાય ત્યારે કૂકરને ખોલીને તેમાંથી ઉપર રહેલુ પાણી લઇને તેનુ સેવન કરો. જો તમે બાફવામાં મીઠુ નથી નાંખ્યુ તો પાછળથી પાણીમાં મીઠુ નાંખીને પી શકાય.