જો તમને તરસ લાગી હોય અને થાક અનુભવતા હોય તો બસ એક ગ્લાસ શેરડીનો રસ પી લો, ઘણો આરામ મળશે. શેરડીના રસમાં ઘણી ઔષધીય ગુણ રહેલા છે. જેને પીવાથી ગંભીર બીમારીઓમાં આરામ મળે છે.
શેરડીના રસમાં સારા પ્રમાણમાં કેલ્શિયમ, ક્રોમિયમ, કોબાલ્ટ, મેગ્નેશિયમ, મેગનીઝ, પોસ્ફોરસ, પોટેશિયમ અને ઝિંક જેવા મિનરલ્સ છે. સાથે જ આયર્ન અને વિટામિન એ, બી1, બી2, બી3, બી4, બી5 અને બી6, પ્રોટીન એન્ટિઓક્સીડેન્ટ્સ અને ફાઈબર સારી માત્રામાં હોય છે. સાથે જ તેને પીવાથી શરીરનાં પોષક તત્ત્વ લોહીના પરિભ્રમણને પણ યોગ્ય બનાવે છે.
શેરડીના રસમાં પ્રાકૃતિક રીતે સુગર હોય છે જે શરીરમાં ગ્લુકોઝના પ્રમાણને વધારે છે અને તે પાણીની અછતની પણ પૂર્તિ કરે છે. તેને પીધા બાદ તમે તાજગી અને ઊર્જાવાન અનુભવ કરશો.
શેરડીનો રસ શરીરમાં કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડનો સ્તર નીચો લાવે છે. બીજી તરફ ધમનીઓમાં ફેટ નથી જામતું, જેનાથી હ્રદય અને શરીરના અન્ય અંગેની વચ્ચે લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે.
જો તમારે વજન ઘટાડવું હોય તો આ રસ તમારા માટે ફાયદારૂપ સાબિત થઈ શકે છે. શેરડીનો રસ શરીરમાં પ્રાકૃતિક સુગર પહોંચાડે છે અને ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે.
શેરડીના રસમાં સારા પ્રમાણમાં પોટેશિયમ હોય છે. જે પાચનતંત્રને સારું રાખવામાં મદદરૂપ બને છે. તેને પીવાથી પાચનની સાથે સાથે કબજિયાતની સમસ્યામાં છૂટકારો અપાવે છે.
આ રસમાં સારા પ્રમાણમાં પ્રોટીન હોય છે, જે તમારી કિડનીમાં ઇન્ફેક્શન, યુરિન ઇન્ફેક્શન, એસિડિટી જેવી સમસ્યાઓને પણ દૂર કરે છે. જો તમને પણ આ સમસ્યા હોય તો શેરડીના રસમાં લીંબું અને નારિયેળ પાણી મીલાવીને પીવાથી આરામ મળે છે.
શેરડીના રસમાં રહેલાં તત્ત્વોના કારણે કમળામાં પણ રાહત મળે છે. જો તમને આ સમસ્યા છે તો એક ગ્લાસ રસમાં લીબુનો રસ નાખીને પીવો.