ઘણી વખત ઘરગથ્થુ ઉપાયથી ડાયાબિટીસને ઘણા હદ સુધી કંટ્રોલ કરી શકાય છે. તમારા કિચનમાં રહેલા એક શાકભાજીથી બ્લડ શુગરને ચપટી વગાડતા ઓછુ કરી શકાય છે.
ડાયાબિટીસ માટે રામબાણ છે આ એક શાક
બ્લડ શુગરના દર્દી જરૂર કરો આ ઉપાય
તરત કંટ્રોલમાં આવી જશે ડાયાબિટીસ
ડાયાબિટીસ હાલ મહામારીની જેમ ફેલાઈ ચુક્યો છે અને કરોડો લોકો તેનો શિકાર બની ગયા છે. ભારતમાં મોટી સંખ્યામાં લોકો હાઈ બ્લડ શુગરના કારણે જીવ ગુમાવી રહ્યા છે. ડાયાબિટીસ એક એવી બિમારી છે જેમાં વ્યક્તિના શરીરમાં ઈંસુલિન બનવાનું બંધ થઈ જાય છે અથવા તો તેનો ફંક્શનિંગ પ્રભાવ ઓછો થઈ જાય છે. આવી સ્થિતિમાં બ્લડ શુગર ઝડપથી વધવા લાગે છે.
આ બીમારીને કંટ્રોલ કરવી ખૂબ જ જરૂરી છે. કારણ કે હંમેશા માટે તેની સારવાર શક્ય નથી. એક વખત આ બીમારી થઈ જાય તો જીવનભર તે તમારા શરીરમાં રહે છે. સામાન્ય રીતે હેલ્ધી લાઈફસ્ટાઈલ અને યોગ્ય ભોજનથી બ્લડ શુગરને કંટ્રોલ કરી શકાય છે. અમુક ઘરગથ્થુ ઉપાયથી તેને કંટ્રોલ કરી શકાય છે.
ડુગળીનો રસ કરશે ડાયાબિટીસને ખતમ
એક રિપોર્ટ અનુસાર અમેરિકામાં પ્રેઝન્ટ કરેલા રિસર્ચમાં ખુલાસો થયો કે ડુંગળીનો રસ (Onion Extract) બ્લડ શુગરને 50% સુધી ઓછી કરે છે. જો તમે સતત તેનું સેવન કરો તો ડાયાબિટીસને ઘણી હદ સુધી કંટ્રોલ કરવામાં મદદ મળે છે. આ રિસર્ચ સેન ડિયાગોમાં થયેલા એન્ડોક્રાઈન સોસાયટીની 97મી અનુઅલ બેઠકમાં પ્રસ્તુત કરવામાં આવ્યો હતો.
જ્યાં રિસર્ચએ ડુગળી અને ડાયાબિટીસને લઈને મોટો ખુલાસો કર્યો. તેમણે એમ પણ કહ્યું કે ડુગળી બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં સૌથી સસ્તુ અને કારગર સાબિત થઈ શકે છે.
ડુગળીનો કેટલો જ્યુસ પીવો ફાયદાકારક?
સંસોધકોની માનીએ તો ડાયાબિટીસથી ઝઝુમી રહેલા લોકો દરરોજ 2 ડુગળી લઈને તેનો જ્યુસ કાઠીને પી શકે છે. તેનાથી તેમનું વધેલુ બ્લડ શુગર જલ્દી કંટ્રોલમાં આવી શકે છે. સંશોધકોએ આ રિસર્ચ ડાયાબિટીક ઉંદરો પર કર્યું હતું. તેમાં ઉંદરોને 400થી 600 મિલીગ્રામ ડુંગળીનો જ્યુસ પ્રતિદિન આપવામાં આવ્યો.
તેના પરિણામ ચોંકાવનારા હતા. ડુંગળીના રસથી ઉંદરોનું બ્લડ શુગર લેવલ 50 અને 35% સુધી ઘટી ગયું. હાલ સંશોધકોએ એવું સમજવું જરૂરી છે કે ડુંગળી કોઈ પણ પ્રકારના ગ્લુકોસને ઓછુ કરી શકે છે. આ વિષે વધારે રિસર્ચ જરૂરી છે અને ભવિષ્યમાં આ રિસર્ચ વ્યક્તિ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
Disclaimer
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.