કારેલા ભલે કડવા રહ્યા પણ ગુણોનો ભંડાર છે. મોટાભાગના લોકો કારેલાનું શાક જોઇને કે શાકવાળાની દુકાને કે લારી પર કારેલા જોઇને મોંઢુ બગાડે છે. કારેલા ના ખાવાના વિવિધ પ્રકારના બહાર કાઢે છે. કડવા કારેલાના ગુણો જાણતાં હોવા છતાં પણ તેનાથી દૂર ભાગતા હો તો આ કારણે તો કદાચ તમે કારેલા ખાવા જ લાગશો! આજકાલ લોકો વજન ઉતારવા માટે જાતજાતના નુસખા અપનાવે છે, ત્યારે જ કારેલાને જોઇને મોઢું વાકુ કરો છો તે વજન ઘટાડવામાં સૌથી વધુ અસરકારક છે.
કારેલાનો રસ પેન્ક્રિયાઝ એટલે કે અગ્નાશયની બીટા કોશિકાઓને સુરક્ષા પૂરી પાડે છે. જે ઇન્સ્યુલિયનું પ્રમાણ ઘટાડે છે. જે પિત્ત રસને વધારે છે જેથી ફેટ મેટાબોલાઈઝ થાય છે. કારેલામાં પાણી વધારે અને કેલરી ઓછી હોય છે. ખાલી પેટ કારેલાનો જ્યૂસ પીવો જોઇએ અને તે પછીના એક કલાક સુધી કંઇ ખાવુ પીવુ નહી. કારેલા પોષકતત્વોનો ખજાનો છે. કારેલા એક્સ્ટ્રા ફેટને બાળવામાં મદદરૂપ થાય છે. કારેલાનો રસ પીવાના ફાયદાઓ જાણો...
- શરીરમાં ચરબી અથવા ચરબીવાળા ટિશ્યૂ રાસાયણિક રીતે ફેટી એસિડથી જોડાયેલી શ્રૃંખલાઓથી બનેલા હોય છે. કારેલાના જ્યૂસમાં એન્ઝાઈમ હોય છે જે ફેટને ફ્રી ફેટી એસિડમાં વિભાજિત કરે છે. જેનાથી શરીરમાંથી ચરબી ઘટવા લાગે છે.
- કારેલા અગ્નાશયી બીટા કોશિકાઓની રક્ષા કરે છે જે ઈંસ્યુલિનનો સંગ્રહ અને મુક્ત કરે છે. ઈંસ્યુલિન બ્લડમાં ગ્લૂકોઝના લેવલને નિયંત્રિત કરવા માટે જરૂરી છે. કારેલામાં ત્રણ સક્રિય એન્ટી-ડાયાબિટીક પદાર્થ હોય છે જેને ચારેંટિન, વિસીન અને પૉલીપેપ્ટાઈડ-પી કહેવાય છે. જે શરીરમાં ઈંસ્યુલિન પ્રતિરોધ અને ગ્લૂકોઝના સ્તરને ઘટાડે છે. ઈંસ્યુલિન ઓછું હોય તો ગ્લૂકોઝનું સ્તર ખરાબ થાય છે અને વધારે હોય તો અચાનક ભૂખ લાગવી તેમજ વજન વધવાનું કારણ બને છે.
- કારેલાનો જ્યૂસ પિત્ત રસનો સ્ત્રાવ કરવા લીવરને ઉત્તેજિત કરે છે. જે ફેટ મેટાબોલિઝમમાં સહાયક છે. જે લોકો વધારે વજનવાળા હોય તેઓનો મેટાબોલિઝમ રેટ ઓછો હોય છે. કારેલાનો જ્યૂસ AMPK નામના પ્રોટીનને સક્રિય કરે છે.
- કારેલામાં લગભગ 90 ટકા પાણી છે, જે ભૂખને દબાવવામાં મદદ કરે છે. સાથે જ શરીરમાંથી ઝેરીલા તત્વો બહાર કાઢવાનું કામ કરે છે. ટોક્સિન્સ વજન વધારવામાં સૌથી વધુ જવાબદાર હોય છે.
કેલરી ઓછી હોય છે: યુએસડીએ મુજબ 100 ગ્રામ કારેલાના રસમાં માત્ર 34 કેલરી હોય છે. કારેલામાં રહેલા લેક્ટિન ભૂખને ઓછી કરે છે.
કારેલાનો જ્યૂસ હંમેશા ખાલી પેટે પીવો જોઈએ. જ્યૂસ ખૂબ કડવો લાગે તો મધ, ગાજર કે સફરજનનો જ્યૂસ ઉમેરી શકો છો. ડાયાબિટીસના દર્દીએ લીલા સફરજનના રસ સાથે પીવો જોઈએ. આ જ્યૂસ પીધાના એક કલાક સુધી કંઈ ખાવાપીવાનું ટાળવું. સાથે જ દરરોજ 30 મિનિટ કસરત અને ડાયટ કંટ્રોલ કરશો તો વધુ સારું પરિણામ મળશે.
નોંધ: ઉપર જણાવેલ માહિતીનો અમલ કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ ચોક્કસથી લેજો.