આજકાલ દરેક લોકોને ફાંદની સમસ્યા રહે છે. બિઝી લાઈફસ્ટાઈલ અને જંકફૂડ ખાવાના કારણે લોકોમાં સ્થૂળતાનું પ્રમાણ વધી જાય છે. આ સાથે ઓફિસમાં બેસીને કામ કરતા રહેવાના કારણે શરીરમાં ચરબીના થર જામે છે. શરીરના ચરબીના થર ઓછા કરવા માટે રોજ 1 ગ્લાસ એલોવેરાનો જ્યૂસ પીઓ. અચૂક લાભ થશે.
સ્થૂળતા ઘટાડવા માટે લાભદાયી છે આ 1 જ્યૂસ
એલોવેરાનો જ્યૂસ ઘટાડે છે સ્થૂળતાનું પ્રમાણ
એલોવેરા સ્થૂળતા ઓછી કરવા સાથે અન્ય અનેક ફાયદા આપે છે
સ્થૂળતા ઘટાડવા આ રીતે બનાવો એલોવેરાનો જ્યુસ
એલોવેરાને સૌ પહેલાં ધોઈ લો અને સાથે તેની છાલને છરીની મદદથી કાઢી લો. હવે વ્હાઈટ ભાગ જે વધે તેને મિક્સર જારમાં લઈને ક્રશ કરી લો. ગરણી લઈને આ જ્યૂસને ગાળી લો. તૈયાર છે એલોવેરા જ્યૂસ.
વજન ઓછું કરવા માટે આ રીતે કરો ઉપયોગ
1 ગ્લાસ પાણીમાં 1 ચમચી એલોવેરાનો જ્યૂસ અને 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી વજન ઓછું થાય છે. એલોવેરા અને લીંબુ બંનેમાં વજન ઓછું કરવાના ગુણ હોવાથી ફાયદો આપે છે. આ સિવાય એલોવેરા અને મધનું પાણી પીવાથી પણ વજન ઉતરે છે અને સ્કીન ગ્લો કરે છે.
એલોવેરાના આ પણ છે અન્ય ફાયદા
એલોવેરા જ્યૂસ ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ સિસ્ટમ પર સકારાત્મક અસર કરે છે. તેના નિયમિત ઉપયોગથી એસિડ રિફ્લક્સ અને અલ્સરમાંથી પણ રાહત મળે છે. મેટાબોલિઝમ રેટ વધી શકે છે.
એલોવેરા જ્યૂસથી પાચનતંત્ર સારું રહે છે અને પેટની સફાઈ રેગ્યુલર રીતે થવાથી વજન પણ કંટ્રોલમાં રહે છે.
એલોવેરા બ્લડ સર્ક્યૂલેશનમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડે છે. શરીરમાં જમા થયેલી ચરબી રોકવામાં મદદ કરે છે. એલોવેરાનો જ્યૂસ પીવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. તેથી વજન ઝડપથી વધવાની શક્યતા ઘટે છે.