સવારે ઉઠીને હુફાળું પાણી પીવુ જોઇએ એ તો તમામ લોકો જાણતા હશે અને લોકોને આમ કરતા જોયા પણ હશે. હેલ્થ નિષ્ણાતો હુફાળું પાણી પીવાની સલાહ આપતા હોય છે કેમકે હુફાળું પાણી શરીરના સુચારુરૂપે કામ કરવામાં મદદ કરે છે. હુફાળું પાણી પીવાથી શરીરની તંદુરસ્તી તો જળવાય જ છે સાથે સ્કીનને પણ લાભ થાય છે પરંતુ શું તમે જાણો છે કે સવારની જેમ રાત્રે પણ હુફાળું પાણી પીવાથી શરીરને ફાયદો થાય છે.
- જો રાત્રે સૂતા પહેલા પાણી પીવાનું ટાળે છે. કારણ કે તેમને લાગે છે કે વારેવારે બાથરૂમ જવા ઉઠવુ પડશે અને ઊંઘ બગડશે. જો કે હેલ્થ એક્સપર્ટના મતે રાત્રે સૂતા પહેલાં પાણી પીવાથી ઊંધ સારી આવે છે આ સાથે જ સ્વાસ્થ્યને પણ ફાયદા થાય છે. ઊંધતા પહેલા પાણી પીવાથી હાર્ટ એટેકની શક્યતા ઓછી થઇ જાય છે. લોહીનું ભ્રમણ બરાબર થાય છે. ત્યારે જાણી લો, રાત્રે સૂતા પહેલ હુફાળું પાણી પીવાથી શરીરને કેવા કેવા લાભ થશે..
- ઘણી સ્ટડી રિપોર્ટમાં સામે આવ્યુ છે કે, શરીરમાં પાણીની કમી હોય તો ડિપ્રેશનનો શિકાર બની શકો છે. સ્લીપ સાઇકલ પર તેની અસર પડે છે. રાત્રે ઊંઘતા પહેલા એક ગ્લાસ હુફાળું પાણી પીવાથી શરીરમાં પાણીનું સંતુલન જળવાઇ રહે છે અને મૂડ પણ સારો રહે છે.
- હુફાળું પાણી પીવાથી શરીરનું તાપમાન વધે છે અને વધુમા વધુ પરસેવો આવે છે. પરસેવો આવવાથી બ્લડ સર્કુલેશન વધારે સારુ થાય છે અને શરીરમાંથી હાનિકારક તત્વો બહાર નીકળે છે એટલે રાત્રે ઊંઘતા પહેલા હુફાળું પાણી પીવુ જોઇએ.
- હુફાળું પાણી પીવાથી ખોરાકનું પાચન ઝડપથી થાય છે. રાત્રે આપણી પાચનક્રિયા સવારની સરખામણીએ મંદ પડે છે. એટલે કે રાત્રે હુફાળું પાણી પીવાથી ખોરાક જલ્દી પચી જાય છે.
- હુફાળુંપાણી પીવાથી વજન ઘટે છે તે વિશે તો ખ્યાલ હશે જ. વજન ઘટાડવા માટે મોટાભાગના લોકો સવારે ઉઠીને હુફાળું પાણી પીવે છે. જો તમે બમણી ગતિથી વજન ઘટાડવા માંગતો હોવ તો દિવસની સાથે રાત્રે પણ હુફાળું પાણી પીવો.