સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપના શુભ અને અશુભ સંકેત આપે છે. સપનાની જાણકારીથી મનુષ્ય તેના ખૂબ ફાયદા ઉઠાવી શકે છે.
તમને ક્યારેય આવું સપનું આવ્યું?
માનવામાં આવે છે સૌથી વધારે અશુભ
જાણો અશુભ સપના આવવા પર શું કરશો ઉપાય
સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપના શુભ અને અશુભ સંકેત આપે છે. સપનાની જાણકારીથી મનુષ્ય તેના ખૂબ ફાયદા ઉઠાવી શકે છે. તે ઉપરાંત સપનાના સંકેતથી જીવનમાં આવનાર મુશ્કેલીઓથી બચી શકાય છે. દરેક સપનાનો કોઈને કોઈ મતલબ હોય છે. સપનાનું સ્વાસ્થ્ય, ધન, વ્યાપાર વગેરે પર ઉંડુ કનેક્શન હોય છે. આ 4 સપના ખૂબ જ અશુભ માનવામાં આવે છે.
સપનામાં કપડાં પર દાગ જોવો
સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપનામાં પીળા રંગના કપડાં પર દાગ જોવું અશુભ છે. એવામાં જો કોઈ સપનામાં પીળા રંગના કપડાં પર દાગ જોવા મળે તો તેનો સંકેત ધનની હાની સાથે હોય છે. આવી સ્થિતિમાં ઉંઘ ખુલ્યા બાદ માતા લક્ષ્મીને લાલ વસ્ત્ર ચઢાવવા જોઈએ.
એકથી વધારે જાનવર જોવા
સપનામાં એકથી વધારે જાનવર જોવા ખૂબ જ ખરાબ માનવામાં આવે છે. એવું સપનું સ્વાસ્થ્ય બગડવાનો સંકેત આપે છે. આ સ્વપ્નના અશુભ પ્રભાવને દૂર કરવા માટે ઉંઘ ઉડ્યા બાદ જરૂરિયાતમંદોને લાલ કરડાં દાન કરવા જોઈએ.
કાળી બિલાડી
કાળી બિલાડીને દુર્ઘટના સાથે જોડવામાં આવે છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપનામાં કાળી બિલાડી જોવી કોઈ મોટી દુર્ઘટનાનો સંકેત છે. આ સપનાનો ખરાબ પ્રભાવ માથા પર પડી શકે છે. એવામાં આ અશુભ સપનાના ખરાબ પ્રભાવથી બચવા માટે શિવજીને જળ અર્પિત કરો.
દરવાજાની સ્ટોપર બંધ હોવી
સપનામાં કોઈ દરવાજાની સ્ટોપર બંધ જોવી અશુભ માનવામાં આવે છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર આવા સપના જોતા લોકોના કરિયરમાં અનુક અનહોની થવાની સંભાવના રહે છે. એવામાં મંગળવારે હનુમાનજીને લાલ સિંદૂર ચઢાવવું જોઈએ.