સપનુ આવવુ એક સામાન્ય પ્રક્રિયા છે. દરેક વ્યક્તિ રાત્રે ઊંઘતા સપના જોવે છે અને કેટલાંક લોકો દિવસે પણ સપના જોવે છે. સપના મનુષ્યને આવનારા ભવિષ્યનો સંકેત આપે છે. ઘણી વખત સપના એટલા સારા હોય છે કે આપણે સપનામાંથી બહાર આવવા ઈચ્છતા નથી. ઘણી વખત એવા સપના આવે છે, જેને જોયા બાદ ઊંઘ જ આવતી નથી.
દરેક સપનાનો એક ચોક્કસ અર્થ થાય છે
સપના મનુષ્યના ભાગ્ય સાથે જોડાયેલા હોય છે
સપનામાં બાપ્પાના દર્શન આપે છે શુભ સંકેત
આ દેવી-દેવતાઓ સપનામાં આવે તો થશે સારું
દરેક સપનાનો ચોક્કસ અર્થ અવશ્ય નિકળે છે. સ્વપ્ન શાસ્ત્ર મુજબ કેટલાંક સપના આપણા ભાગ્ય સાથે જોડાયેલા હોય છે. એક નિષ્ણાંત જ્યોતિષે જણાવ્યું છે કે જો સપનામાં તમે આ પાંચ દેવી-દેવતાઓને જોવો છો તો તેનો શું અર્થ નિકળે છે.
સપનામાં ભગવાન ગણેશના દર્શન થવા- સ્વપ્ન શાસ્ત્ર મુજબ જો સપનામાં ગણપતિ બાપ્પાના દર્શન થાય છે તો આ એક શુભ સંકેત માનવામાં આવે છે. માન્યતાઓ મુજબ, ભગવાન ગણપતિના દર્શન સપનામાં થવાનો અવસર ઘણા ઓછા લોકોને પ્રાપ્ત થાય છે, પરંતુ જેમને પણ ગણપતિ બાપ્પાના દર્શન સપનામાં થાય છે, આ તેમના માટે લાભદાયક હોય છે. એવામાં વ્યક્તિના અટકેલા કામ પૂરા થાય છે અને કાર્યમાં આવતી બધા પ્રકારની બાધાઓ અને વિગ્ન દૂર થાય છે.
સપનામાં શિવલિંગ જોવુ- સ્વપ્ન શાસ્ત્ર મુજબ જો સપનામાં તમને ભોળાનાથના શિવલિંગના દર્શન થાય છે તો આ તમારા માટે એક શુભ સંકેત છે. માન્યતા મુજબ, સપનામાં શિવજીના દેખાવાનો અર્થ છે કે આગામી ભવિષ્યમાં તમારા દરેક દુ:ખ દૂર થશે.
સપનામાં માં દુર્ગાના દર્શન થવા- સપનામાં માતા દુર્ગાના દર્શન થવાનો અર્થ છે કે જો તમારા ઘરમાં કોઈ વ્યક્તિ છેલ્લાં થોડા દિવસથી બિમાર છે તો તેને ટૂંક સમયમાં તેની બિમારીમાંથી રાહત મળવાની છે.
ભગવાન નારાયણને સપનામાં જોવા- સ્વપ્ન શાસ્ત્ર માને છે કે જો કોઈ વ્યક્તિને સપનામાં ભગવાન વિષ્ણુના દર્શન થાય છે તો આ તેના માટે ભાગ્યોદય તરફ ઈશારો કરે છે. જેનો અર્થ છે કે થોડા સમયમાં તમારી બધી સમસ્યાઓ પૂર્ણ થવાની છે અને તમારું એક નવુ જીવન શરૂ થવાનુ છે.