દેશમાં કોરોનાવાયરસ કેસ સોમવારે વધીને 42836 પર પહોંચી ગયા છે. દેશમાં અત્યાર સુધીમાં 1389 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશ અને વિશ્વમાં કોરોના વાયરસ ચેપ (કોવિડ 19) ના વધી રહેલા જોખમને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિક સ્તરે રસી, દવા અને અન્ય સુરક્ષાત્મક ઉપકરણો બનાવવાનું કામ ચાલી રહ્યું છે. દરમિયાન ભારતની ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ એક ખાસ ઉપકરણ બનાવવાનો દાવો કર્યો છે. DRDOના કહેવા મુજબ, UV (અલ્ટ્રાવાયોલેટ) બ્લાસ્ટર નામનો ડીસઇન્ફેકટન્ટ ટાવર બનાવવામાં તે સફળ થયું છે. આ મશીન 10 મિનિટમાં 12 બાય 12 ફૂટના ઓરડાને વાયરસ મુક્ત કરવાની ક્ષમતા ધરાવે છે.
12 બાય 12 ફૂટનો ઓરડો 10 મિનિટમાં વાયરસ મુક્ત કરી શકે છે
400 ચોરસ ફૂટ વિસ્તારને 30 મિનિટમાં વાયરસ મુક્ત બનાવી શકે છે
DRDOના જણાવ્યા અનુસાર આ UV બ્લાસ્ટથી ટૂંકા સમયમાં કોરોના વાયરસના અતિસંવેદનશીલ વિસ્તારોને વાયરસ મુક્ત બનાવી શકાય છે. આ ઉપકરણને દિલ્હી સ્થિત DRDOની પ્રયોગશાળા લેઝર સાયન્સ એન્ડ ટેકનોલોજી સેન્ટરે ગુરુગ્રામની કંપની New Age Instrument and Materials Pvt Ltd એ સાથે મળીને બનાવ્યું છે.
DRDOના જણાવ્યા મુજબ UV બ્લાસ્ટરનો ઉપયોગ કમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોને જંતુમુક્ત કરવા માટે થાય છે. આ ઉત્પાદનનો ઉપયોગ એરપોર્ટ, શોપિંગ મોલ, મહાનગરો, હોટલ, ફેક્ટરીઓ અને ઓફિસોમાં થઈ શકે છે. તે WiFi દ્વારા પણ દૂરસ્થ ચલાવી શકાય છે. તે 12 બાય 12 ફૂટનો ઓરડો 10 મિનિટમાં વાયરસ મુક્ત કરી શકે છે. એ જ પ્રમાણે 400 ચોરસ ફૂટ વિસ્તારને 30 મિનિટમાં વાયરસ મુક્ત બનાવી શકે છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના ચેપના 2573 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 83 લોકોનાં મોત થયાં. દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના ચેપના કુલ 42836 કેસ નોંધાયા છે. તે જ સમયે દેશમાં છેલ્લા 24 કલાકમાં 1074 લોકો સાજા થયા છે. આજ સુધીના 24 કલાકમાં આ સૌથી વધુ રીકવરી છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં કુલ 11762 દર્દીઓ ઠીક થઇ ગયા છે. દેશમાં કોરોના વાયરસના ચેપના એક્ટિવ કેસોની સંખ્યા 29685 છે. તે જ સમયે દેશમાં કોરોના દર્દીઓની રિકવરીનો દર વધીને 27.52 ટકા થયો છે.